Hijab Row: હિજાબ ફરજિયાત ધાર્મિક પરંપરા નથી, તેને શૈક્ષણિક સંસ્થાઓની બહાર રાખવી જોઈએ, જાણો રાજ્ય સરકારે હાઈકોર્ટમાં શું દલીલ કરી

|

Feb 21, 2022 | 6:15 PM

હિજાબ પ્રતિબંધ સામે લડતી મુસ્લિમ છોકરીઓએ ગુરુવારે હાઇકોર્ટમાં અપીલ કરી હતી કે તેઓને ઓછામાં ઓછા શુક્રવારે અને રમઝાન મહિના દરમિયાન હિજાબ પહેરીને વર્ગોમાં ભાગ લેવાની મંજૂરી આપે.

Hijab Row: હિજાબ ફરજિયાત ધાર્મિક પરંપરા નથી, તેને શૈક્ષણિક સંસ્થાઓની બહાર રાખવી જોઈએ, જાણો રાજ્ય સરકારે હાઈકોર્ટમાં શું દલીલ કરી
Hijab Row - Symbolic Image

Follow us on

હિજાબ વિવાદ (Hijab Row) પર કર્ણાટક હાઈકોર્ટમાં (Karnataka High Court) રાજ્ય સરકારે સોમવારે ફરી કહ્યું કે હિજાબ ફરજિયાત ધાર્મિક પરંપરા નથી અને ધાર્મિક સૂચનાઓ શૈક્ષણિક સંસ્થાઓની બહાર રાખવી જોઈએ. રાજ્યના એડવોકેટ જનરલ પ્રભુલિંગ નાવડગીએ હિજાબ કેસની સુનાવણી કરી રહેલી કર્ણાટક હાઈકોર્ટની ફુલ બેન્ચને કહ્યું, અમારું વલણ એ છે કે હિજાબ એ જરૂરી ધાર્મિક પરંપરા નથી. ડૉ. ભીમ રાવ આંબેડકરે બંધારણ સભામાં કહ્યું હતું કે, આપણે ધાર્મિક સૂચનાઓ શૈક્ષણિક સંસ્થાઓની બહાર મૂકવી જોઈએ. મુખ્ય ન્યાયાધીશ ઋતુરાજ અવસ્થી, ન્યાયમૂર્તિ જે.એમ. ખાજી અને ન્યાયાધીશ કૃષ્ણા એમ. દીક્ષિત સંપૂર્ણ બેન્ચમાં સામેલ છે. ભારતના એટર્ની-જનરલ અનુસાર, બંધારણની કલમ 25 હેઠળ માત્ર આવશ્યક ધાર્મિક પ્રથાઓ જ સુરક્ષિત છે, જે નાગરિકોને તેમની પસંદગીના ધર્મનું પાલન કરવાની ખાતરી આપે છે.

કોર્ટની કાર્યવાહી શરૂ થતાં જ ચીફ જસ્ટિસ અવસ્થીએ કહ્યું કે હિજાબને લઈને કેટલીક સ્પષ્ટતાની જરૂર છે. ચીફ જસ્ટિસે સવાલ કર્યો હતો કે, તમે દલીલ કરી છે કે સરકારના આદેશથી નુકસાન નહીં થાય અને રાજ્ય સરકારે હિજાબ પર પ્રતિબંધ મૂક્યો નથી અને ન તો કોઈ પ્રતિબંધ લગાવ્યો છે. સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થિનીઓએ નિર્ધારિત ડ્રેસ પહેરવો જોઈએ. તમારું શું વલણ છે – શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબને મંજૂરી આપી શકાય કે નહીં?

કર્ણાટક હાઈકોર્ટમાં છેલ્લા ઘણા દિવસોથી સુનાવણી ચાલી રહી છે

આપને જણાવી દઈએ કે આ મામલે કર્ણાટક હાઈકોર્ટમાં છેલ્લા ઘણા દિવસોથી સુનાવણી ચાલી રહી છે. અગાઉ, હિજાબ પ્રતિબંધ સામે લડતી મુસ્લિમ છોકરીઓએ ગુરુવારે હાઇકોર્ટમાં અપીલ કરી હતી કે તેઓને ઓછામાં ઓછા શુક્રવારે અને રમઝાન મહિના દરમિયાન હિજાબ પહેરીને વર્ગોમાં ભાગ લેવાની મંજૂરી આપે. તેણે દાવો કર્યો હતો કે હિજાબ પર પ્રતિબંધ મૂકવો એ પવિત્ર કુરાન પર પ્રતિબંધ લગાવવા સમાન છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

મુસ્લિમ યુવતીઓ તરફથી હાજર રહેલા એડવોકેટ વિનોદ કુલકર્ણીએ જસ્ટિસ ઋતુરાજ અવસ્થી, જસ્ટિસ જે. એમ. કાઝી અને જસ્ટિસ ક્રિષ્ના એસ. દીક્ષિતે હાઈકોર્ટની સંપૂર્ણ બેંચ સમક્ષ જણાવ્યું હતું કે, ગરીબ મુસ્લિમ છોકરીઓ હિજાબ પહેરવા પરના પ્રતિબંધને કારણે પીડાઈ રહી છે. કુલકર્ણીએ દલીલ કરી હતી કે હિજાબના મુદ્દાને કારણે દેશમાં સામૂહિક ઉન્માદ છે. હિજાબ સ્વાસ્થ્ય કે નૈતિકતા વિરુદ્ધ નથી.

આ પણ વાંચો : Fodder Scam: સજા મળ્યા બાદ લાલુ યાદવની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- તેઓ હરાવી શકતા નથી, તેથી મને કાવતરામાં ફસાવે છે

આ પણ વાંચો : UP Assembly Election: લખનૌમાં કેજરીવાલે કહ્યું- PM મોદીએ દેશની સુરક્ષાને કોમેડી બનાવી દીધી છે

Next Article