
હરિયાણાની મનોહર લાલ ખટ્ટર સરકાર ટૂંક સમયમાં રાજ્યના અપરિણીત લોકોને પેન્શન આપવાની યોજના લાવવા જઈ રહી છે. હરિયાણાના કુંવારા લોકો જેઓના એક યા બીજા કારણોસર લગ્ન નથી કરી શક્યા અને એકલા રહે છે, તેમને પેન્શન આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટરના જણાવ્યા અનુસાર, આ યોજના ક્યુમાં છે અને ટૂંક સમયમાં પેન્શન શરૂ કરવાની તૈયારી કરવામાં આવશે. આ સાથે હરિયાણાના સીએમ મનોહર લાલે કટાક્ષ કરતા કહ્યું કે આવા લોકોએ પોતાનું સંગઠન ન બનાવવું જોઈએ અને એસોસિએશનનું નામ પણ બદલવું જોઈએ.
આ પણ વાંચો :હરિયાણાના પંચકુલામાં નદીનો પ્રવાહ વધી જતા કાર તણાઈ
રણદીપ સુરજેવાલાએ વધુમાં જણાવ્યું હતું કે તેમને લાગે છે કે હરિયાણાના યુવાનો સાથે આ પ્રકારની અશ્લીલ મજાક ન કરવી જોઈએ સીએમ ખટ્ટરના એક જાહેર કાર્યક્રમ દરમિયાન, માત્ર 60 વર્ષીય અપરિણીત વૃદ્ધાએ પેન્શનની માંગ કરી હતી, જે પછી હરિયાણાના સીએમએ અધિકારીઓને અપરિણીત લોકોની માંગ પર પેન્શન ડ્રાફ્ટ તૈયાર કરવા સૂચના આપી હતી.
હરિયાણાની ખટ્ટર સરકાર 45 થી 60 વર્ષની વચ્ચેના અપરિણીત લોકોને દર મહિને પેન્શન આપશે.
સરકારનું કહેવું છે કે પેન્શન ફક્ત તે જ કુંવારા લોકોને આપવામાં આવશે જેમની આવક 1.80 લાખ રૂપિયાથી વધુ નથી.
સરકારી આંકડાઓ અનુસાર, રાજ્યના લગભગ 1.25 લાખ અપરિણીત લોકોને આ યોજનાનો લાભ મળશે.
આવા લાભાર્થીઓને પ્રારંભિક પેન્શન તરીકે દર મહિને રૂ. 2750 પેન્શન આપવાની યોજના છે.
આ રીતે, હરિયાણા અવિવાહિતને પેન્શન આપનાર પ્રથમ રાજ્ય બનશે.
આ ઉપરાંત હરિયાણામાં વિધવા પેન્શનની જેમ વિધુર પુરુષોને પણ પેન્શન આપવાની યોજના પર કામ ચાલી રહ્યું છે.
હરિયાણા સરકારે આ યોજના પર કામ શરૂ કરી દીધું છે અને આગામી 1 મહિનામાં તેને લાગુ કરવા માટે તૈયાર છે.