
ઉત્તર પ્રદેશના આંબેડકર નગરમાં, એક મોટી ઊંમરની મહિલા તેના 25 વર્ષના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ હોવાના સમાચાર સામે આવ્યા છે, જે સંબંધમાં તેનો પૌત્ર હોવાનો ખુલાસો થયો છે. એટલું જ નહીં, મહિલાએ એટલે કે આ દાદીએ તેની સાથે લગ્ન પણ કરી લીધા છે. આ લગ્ન હવે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયા છે.
કહેવાય છે કે પ્રેમની કોઇ ઉંમર નથી હોતી. પ્રેમ ગમે ત્યારે, ગમે ત્યાં અને કોઈ પણ વ્યક્તિ સાથે થઈ શકે છે. પણ જો દાદીમાની ઉંમરની સ્ત્રી પૌત્રની ઉંમરના છોકરા સાથે પ્રેમમાં પડે તો ? આ વાત કદાચ વિચિત્ર લાગશે, પણ ખરેખર ઉત્તર પ્રદેશના આંબેડકર નગરમાં આવુ જોવા મળ્યું છે. અહીં, 4 બાળકોની 52 વર્ષીય માતાને પ્રેમ થઇ ગયો, એ પણ એક 25 વર્ષીય પુરુષ સાથે, જે સંબંધમાં તેનો પૌત્ર છે. મહિલા તેના પતિ અને બાળકોને છોડીને તેના પ્રેમીના પૌત્ર સાથે ભાગી ગઈ હતી અને પછી બંનેના લગ્ન થયા.
મહિલા એટલે કે દાદીના આ ત્રીજા લગ્ન છે. અહેવાલો અનુસાર, દસ દિવસ પહેલા, બાસખારી પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રતાપપુર બેલવરિયા દલિત બસ્તીમાં રહેતી ચાર બાળકોની માતા તેના પૌત્ર સાથે ભાગી ગઈ હતી, જે તે જ ગામના તેના સંબંધી હતા. બંનેના લગ્ન ગોવિંદ સાહેબ મંદિરમાં થયા. એવું કહેવામાં આવી રહ્યું છે કે 52 વર્ષીય ઇન્દ્રાવતીના લગ્ન 20 વર્ષ પહેલા પ્રતાપપુર બેલવરિયાના રહેવાસી ચંદ્રશેખર આઝાદ સાથે થયા હતા. જેમનાથી તેમને એક દીકરી અને બે દીકરાઓ પણ થયા.
ચંદ્રશેખર આઝાદ સાથે આ મહિલાના બીજા લગ્ન હતા. ઇન્દ્રાવતીને તેના પાછલા લગ્નથી એક પુત્રી પણ હતી, જેના લગ્ન ચંદ્રશેખરે પણ બે વર્ષ પહેલા કર્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી, ઇન્દ્રાવતી ચંદ્રશેખર આઝાદથી મોહભંગ થઈ ગઈ હતી. ત્યારબાદ તેણીને ગામમાં રહેતા 25 વર્ષીય આઝાદ સાથે પ્રેમ થઈ ગયો. આઝાદ સંબંધમાં તેનો પૌત્ર છે.
ગામલોકોના મતે, એક જ ગામ અને એક જ જાતિના હોવાથી, બંને વચ્ચે દાદી અને પૌત્ર જેવો સંબંધ હતો. તેમના પ્રેમ સંબંધનો મામલો બે દિવસ પહેલા લહતોરવા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, પરંતુ ગથ રવિવારે, પરિવાર અને સમાજના ડર વિના, બંને ગોવિંદ સાહેબ મંદિર પહોંચ્યા અને લગ્ન કરી લીધા. તે જ સમયે, લગ્નના સમાચાર સાંભળ્યા પછી, બંનેના પરિવારો અને દલિત વસાહતના લોકોએ બંનેનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
ફરાર મહિલા (દાદી) ઇન્દ્રાવતીના પતિ ચંદ્રશેખર આઝાદે આરોપ લગાવ્યો હતો કે, તે આજીવિકા માટે બીજા શહેરમાં રહે છે. આ સમય દરમિયાન, તેની પત્નીને બાજુમાં રહેતા આઝાદ સાથે પ્રેમ કર્યો. જ્યારે તે ઘરે પાછો ફર્યો, ત્યારે તેને તેની પત્નીના અફેર વિશે ખબર પડી. ચંદ્રશેખર કહે છે કે મારી પત્ની અને તેનો પ્રેમી અમને સાથે મળીને મારી નાખવાની યોજના બનાવી રહ્યા હતા. તેઓ મને અને મારા બાળકોને ઝેર આપીને મારી નાખવાની યોજના બનાવી રહ્યા હતા, પણ મને ખબર પડી ગઈ અને અમારા જીવ બચી ગયા.