ભારત સરકારે નવા UAPA કાયદા મુજબ આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી દેવાનું શરુ કરી દીધું છે. મૌલાના મસૂદ અઝહર, દાઉદ ઈબ્રાહીમ, જાકિર-ઉર-રહમાન લખવી અને હાફિઝ સઈદને આતંકવાદી ઘોષિત કરવામાં આવ્યા છે. આ 4 આતંકવાદીઓની સામે રેડ કોર્નર નોટિસ પણ ઈશ્યૂ કરવામાં આવી છે.
જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝહરની સામે ભારતમાં 5 આતંકવાદી હુમલાઓને અંજામ આપવાનો આરોપ છે. આ વર્ષે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે.
મોદી સરકારે 17મી લોકસભાના સત્રમાં UAPA બિલ રજૂ કર્યું હતું. આ બિલ ભાજપે બંને સદનમાં પાસ કરાવ્યું હતું. પહેલાં એવું હતું કે કોઈ સંસ્થાને આતંકવાદી જાહેર કરી શકાતી પણ વ્યક્તિને આતંકવાદી જાહેર કરવાનું પ્રાવધાન નહોતું. આ બિલ આવ્યા બાદ વ્યક્તિને પણ આતંકવાદી જાહેર કરવાનો અધિકાર ભારતની સરકારને મળ્યો જેના લીધે 4 આતંકવાદીઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ભારત સરકાર શંકાના આધારે આ નિયમ અનુસાર કોઈપણ વ્યક્તિની ધરપકડ કરી શકે છે. તેમની જાસૂસી પણ કરી શકે છે. આ વિધેયકને લઈને કોંગ્રેસે ભારે વિરોધ પણ નોંધાવ્યો હતો. કોંગ્રેસે પ્રાઈવસીના મુદ્દાના આધારે વિરોધ કર્યો હતો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]