G. Kishan Reddy: જીવનની અંતિમ ક્ષણો સુધી પણ પર્યાવરણનું રક્ષણ કરો – કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડી

|

Jun 27, 2023 | 4:08 PM

કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી કિશન રેડ્ડીએ (G. Kishan Reddy) તમામ દેશવાસીઓને અપીલ કરતાં કહ્યું છે કે પર્યાવરણ બચાવવાની દિશામાં કામ કરો. તમારી રોજબરોજની દિનચર્યામાં ફેરફાર કરો અને તેવા પગલાં લો જે પર્યાવરણની તરફેણમાં હોય.

G. Kishan Reddy on World Environment Day: દુનિયાભરમાં 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. ભારત સરકારે આ અવસર પર પર્યાવરણની સુરક્ષાને લઈને એક ખાસ અભિયાન પણ શરૂ કર્યું છે, જેમાં TV9 પણ ભાગ લઈ રહ્યું છે. પર્યાવરણ બચાવવાનો વિશેષ સંદેશ આપતાં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી. કિશન રેડ્ડીએ આહ્વાન કર્યું છે કે દરેક વ્યક્તિએ જીવનભર આ દિશામાં કામ કરવું જોઈએ.

કેન્દ્રીય મંત્રીએ એવી પણ અપીલ કરી હતી કે આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આપણે આપણા રોજિંદા જીવનમાં જે પણ કાર્ય કરીએ તેમાં પર્યાવરણની સુરક્ષાનો વિચાર પ્રતિબિંબિત થવો જોઈએ. તેમણે તમામ દેશવાસીઓને આ વર્ષે શરૂ કરાયેલા ‘લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ મોમેન્ટ મિશન’માં જોડાવા વિનંતી પણ કરી.

કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશ અને પર્યાવરણ ક્ષેત્રે દેશવાસીઓ દ્વારા કરવામાં આવેલા કાર્યો વિશે જણાવ્યું હતું.

શું ભારત કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ નહીં લે?
શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો

આ પણ વાંચો : My India My Life Goals: પીએમ મોદીનો સંદેશ – પર્યાવરણની સુરક્ષા દરેકની જવાબદારી

જી. કિશન રેડ્ડીએ આપણને એ પણ યાદ અપાવ્યું કે જો આપણે પ્રકૃતિનું બિનજરૂરી શોષણ કરીશું તો આપણે તેના પરિણામો ભોગવવા પડશે. કેન્દ્રીય મંત્રીએ સમજાવ્યું કે જો વાતાવરણ યોગ્ય રહેશે તો બધું સારું થઈ જશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:31 pm, Mon, 12 June 23

Next Article