Gujarat Foundation Day 2023: પ્રથમવાર, 01 મેના રોજ રાજભવન ખાતે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી શરૂ કરાશે

|

Apr 30, 2023 | 9:14 PM

Gujarat Foundation Day 2023: રાજભવન જે સોમવારે આ કાર્યક્રમનું આયોજન કરશે. તેમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, આસામ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અન્ય રાજ્યોમાં પણ સ્થાપના દિવસ પર સમાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

Gujarat Foundation Day 2023: પ્રથમવાર, 01 મેના રોજ રાજભવન ખાતે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી શરૂ કરાશે

Follow us on

નવી દિલ્હી : પહેલી મે-સોમવારેના રોજ લગભગ 30 રાજભવન (રાજ્યપાલોના નિવાસસ્થાનો) ખાતે મહારાષ્ટ્ર અને ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે કાર્યક્રમોનું આયોજન કરશે, જે રાષ્ટ્રની વિવિધતા અને સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણી અંગે સરકાર દ્વારા આપવામાં આવેલા ભારના ભાગરૂપે છે. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે વિવિધ રાજભવન સંબંધિત રાજ્યમાં રહેતા મહારાષ્ટ્રીયન અને ગુજરાતી મૂળના લોકોને હોસ્ટ કરશે અને બે પશ્ચિમી રાજ્યોની સાંસ્કૃતિક સંપત્તિ અને ભોજનને ઉજાગર કરવા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરશે. બંને રાજ્યો સાથે સંકળાયેલા પરંપરાગત વસ્ત્રો આ કાર્યક્રમોની વિશેષતા હશે.

રાજભવન જે સોમવારે આ કાર્યક્રમનું આયોજન કરશે. તેમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, આસામ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અન્ય રાજ્યોમાં પણ સ્થાપના દિવસ પર સમાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર
ભારતીય રેલ્વે મહિલાઓને આપે છે 10 વિશેષ સુવિધાઓ
કારતક મહિનામાં તુલસીની પૂજા કરતી વખતે શું બોલવું જોઈએ? જાણી લો
ગુજરાતના આ ગામમાં થાય છે સૌથી પહેલા સૂર્યાસ્ત
Karwa chauth માટે ક્યો કરવો વધારે શુભ માનવામાં આવે છે ?
Karwa Chauth 2024 : કરવા ચોથની થાળીને આ રીતે સજાવો, તમને મળશે અખંડ સૌભાગ્યના આશીર્વાદ !

તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની “એક ભારત, શ્રેષ્ઠ ભારત” પહેલ હેઠળ દરેક રાજ્યના વારસા અને પરંપરાઓની ઉજવણી પર નિયમિતપણે ભાર મૂક્યો છે. વિવિધ રાજ્યો સાથે સંકળાયેલા પરંપરાગત તહેવારોમાં ભાગ લેવો હોય કે પછી કાશી-તમિલ સમાગમ જેવી ઘટનાઓ પાછળનું પ્રેરક બળ હોય, તેમણે દેશના વિવિધ ભાગોમાં અન્ય પ્રદેશોની પરંપરાઓ અને સંસ્કૃતિ વિશે લોકોને ઉજવણી કરવા અને જાગૃત કરવા પર ભાર મૂક્યો છે.

નોંધનીય છેકે, 1 મે, 1960ના દિવસને ગુજરાતના સ્થાપના દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે બૃહદ-મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ રાજય બન્યા હતા.

આ પણ વાચો: Mann ki Baat માં જાપાન-અમેરિકાના ટોચના વડાનો પણ સમાવેશ, PM એ મન કી બાતમાં હાલ સુધી કર્યો આ મહિલાઓનો ઉલ્લેખ

‘મહાગુજરાત આંદોલન’ એ આઝાદી બાદ ગુજરાતી પ્રજાએ સૌથી મોટું આંદોલન કર્યું હતું. હડતાળો, વિદ્યાર્થી દેખાવો, સરઘસો, ગોળીબાર, મૃત્યુ અને ગુજરાતી ભાષી વિસ્તારોમાં ફેલાયેલી અશાંતિનો અંત સ્થાપના દિવસે આવ્યો હતો. 1956માં આંધ્ર પ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો. જે બાદ ગુજરાતી બંધુઓને પણ આશા બંધાઈ કે ભાષાવાર ગુજરાત અલગ રાજ્ય બનવાની આશા બંધાઇ હતી. આ બાદ પણ દેશમાં ઉત્તરાખંડ, છત્તીસગઢ, તેલગાંણા, ઝારખંડ જેવા રાજ્યોની પણ અલગની સ્થાપના થઇ છે.  ત્યારે ગુજરાત-મહારાષ્ટ્ર રાજ્યનો પહેલી મેના રોજ સ્થાપના દિવસ રાજભવન ખાતે પ્રથમવાર આયોજિત થનાર છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published On - 9:08 pm, Sun, 30 April 23

Next Article