Umesh Pal Murder Case: પૂર્વ સાંસદ અતીક અહેમદની મુશ્કેલીઓ વધી, પત્ની શાઇસ્તા પરવીન અને બંને પુત્રો સામે FIR દાખલ

પોલીસે બસપા ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલ અને તેના ગનરની હત્યાના કેસમાં એફઆઈઆર નોંધી છે. ઉમેશ પાલના પત્ની જયા પાલ વતી પ્રયાગરાજના ધુમાનગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

Umesh Pal Murder Case: પૂર્વ સાંસદ અતીક અહેમદની મુશ્કેલીઓ વધી, પત્ની શાઇસ્તા પરવીન અને બંને પુત્રો સામે FIR દાખલ
પૂર્વ સાંસદ અતિક અહેમદ સામે FIR દાખલ
Image Credit source: Google
| Edited By: | Updated on: Feb 25, 2023 | 12:50 PM

પોલીસે બસપા ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલ અને તેના ગનરની હત્યાના સંબંધમાં એફઆઈઆર નોંધી છે. પોલીસે અતીક અહેમદ સાથે અતીકના ભાઈ, પત્ની શાઈસ્તા પરવીન, અતીક અહેમદના બે પુત્રો અને અન્યો સામે કેસ નોંધ્યો છે.

ઉમેશ પાલના પત્ની જયા પાલ વતી પ્રયાગરાજના ધુમાનગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે સર્વસંમતિથી હત્યા, હત્યાના પ્રયાસ સહિત એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ એફઆઈઆર નોંધી હતી.

ચાર યુવકોની પણ અટકાયત

પ્રયાગરાજ પોલીસે અતીક અહેમદના બંને પુત્રો સાથે લગભગ 14 શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે. કૌશામ્બી અને પ્રતાપગઢમાં પ્રોપર્ટી ડીલિંગ વિવાદ સાથે સંકળાયેલા ચાર યુવકોની પણ અટકાયત કરવામાં આવી રહી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાચો: માફિયા અતીક અહેમદના સુર બદલાયા, કહ્યુ-યોગી આદિત્યનાથ બહાદુર અને ઈમાનદાર મુખ્યમંત્રી

સતત ઉમેશ પાલની કારનો પીછો કરી રહ્યા હતા

પોલીસે ઉમેશ પાલના કોર્ટથી લઈ તેના ઘર સુધીના સમગ્ર રૂટના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે. પોલીસે જણાવ્યું કે હુમલાખોરો સતત ઉમેશ પાલની કારનો પીછો કરી રહ્યા હતા. હુમલાખોરો બેગમાં બોમ્બ લઈને આવ્યા હતા. હુમલાખોરોએ ઉમેશ પાલનો પીછો કરવા માટે કાર અને બાઇકનો ઉપયોગ કર્યો હતો.

શૂટર્સ અને બોમ્બર છોકરાઓના ફોટા લીધા

સીસીટીવી ફૂટેજને ચેક કર્યા બાદ સામે આવ્યું છે કે એક બદમાશ બેગમાંથી બોમ્બ કાઢીને તેને મારતો જોવા મળી રહ્યો છે. આ મામલામાં પ્રયાગરાજ પોલીસે અશરફની નજીકના શૂટર્સ અને બોમ્બર છોકરાઓના ફોટા લીધા છે. આ સાથે કસ્ટડીમાં લેવામાં આવેલા શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

10 ટીમો તપાસમાં લગાવવામાં આવી

પ્રયાગરાજના જોઈન્ટ સીપીના નેતૃત્વમાં ઉમેશ પાલ હત્યા કેસને અંજામ આપનાર આરોપીઓની શોધમાં 10 ટીમો તપાસમાં લગાવવામાં આવી છે. ઉમેશ પાલ મર્ડર કેસમાં પોલીસે પૂર્વ સાંસદ અતીક અહેમદ, તેના ભાઈ અશરફ, પત્ની શાઈસ્તા પરવીન અને બંને પુત્રોના નામ લીધા છે.

શું છે સમગ્ર મામલો?

પ્રયાગરાજમાં શુક્રવારે રાજુપાલ મર્ડર કેસના સાક્ષી ઉમેશ પાલ અને તેના ગનરની બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તપાસ બાદ સામે આવ્યું છે કે, હત્યાની આ ઘટનાને માત્ર 44 સેકન્ડમાં અંજામ આપવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, એક નિર્ભય ગુનેગારો સૌથી પહેલા ઉમેશ પાલની રાહ જોઈને દુકાનમાં બેઠો હતો. ઉમેશ પાલ કારમાંથી નીચે ઉતર્યા કે તરત જ બદમાશોએ ફાયરિંગ શરૂ કરી દીધું. બદમાશોએ પહેલેથી જ બેકઅપ પ્લાન તૈયાર કરી રાખ્યો હતો. બાઇક અને કારની સાથે બદમાશો પણ પગપાળા આવીને ઉમેશ પાલ પર હુમલો કર્યો હતો. હુમલાખોરો કોર્ટમાંથી જ તેનો પીછો કરી રહ્યા હતા.

ગુજરાતની જેલમાં બંધ છે

ઉમેશ 2005માં બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્ય રાજુ પાલની હત્યાનો મુખ્ય સાક્ષી હતો. રાજુ પાલ હત્યા કેસનો મુખ્ય આરોપી માફિયામાંથી રાજકારણી બનેલો અતિક અહેમદ છે, જે હાલમાં ગુજરાતની જેલમાં બંધ છે. પોલીસે જણાવ્યું કે બોમ્બ વિસ્ફોટમાં ગંભીર રીતે ઘવાયેલા ઉમેશ પાલને સ્વરૂપ રાણી નેહરુ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.