ચેન્નાઈમાં રોડ પર ભરાતા શાકમાર્કેટમાંથી રાત્રે શાક ખરીદતા નાણાંપ્રધાન નિર્મલા સીતારમણનો વીડિયો થયો વાયરલ, જુઓ

|

Oct 09, 2022 | 7:23 AM

નાણામંત્રી નિર્મલા સીતારમણનો (Finance Minister Nirmala Sitharaman) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ શાકભાજીની ખરીદી કરતા જોવા મળી રહ્યાં છે.

ચેન્નાઈમાં રોડ પર ભરાતા શાકમાર્કેટમાંથી રાત્રે શાક ખરીદતા નાણાંપ્રધાન નિર્મલા સીતારમણનો વીડિયો થયો વાયરલ, જુઓ
Finance Minister Nirmala Sitharaman
Image Credit source: Social Media

Follow us on

નાણામંત્રી નિર્મલા સીતારમણનો (Finance Minister Nirmala Sitharaman) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ શાકભાજી (vegetables)  ખરીદતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો તેમના ઓફિસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યો છે. બન્યું એવું કે નિર્મલા સીતારમણ ગઈકાલ શનિવારે રાત્રે અચાનક ચેન્નાઈના માયલાપોર વિસ્તારમાં એક શાક માર્કેટમાં (Vegetable market) પહોંચી ગયા. શાકમાર્કેટમાં તેમને જોઈને લોકો આશ્ચર્યચકિત પણ થઈ ગયા. આ દરમિયાન કેટલાક લોકોએ તેમનો શાકભાજી ખરીદતો વીડિયો પણ બનાવ્યો હતો.

વીડિયોમાં નાણામંત્રી શક્કરિયા ખરીદતા પણ જોઈ શકાય છે. આ સાથે તેમણે કારેલાની પણ ખરીદી કરી હતી. આ દરમિયાન તેમણે મંડીમાં સ્ટ્રીટ વેન્ડર્સ સાથે પણ વાતચીત કરી હતી. નાણામંત્રી એવા સમયે શાકભાજી ખરીદવા આવ્યા હતા. જ્યારે દેશમાં શાકભાજીના ભાવમાં ભારે વધારો થયો છે. દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. ભારતનો છૂટક ફુગાવો જુલાઈમાં 6.71 ટકાથી વધીને ઓગસ્ટમાં 7 ટકા થયો હતો. ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થવાથી છૂટક ફુગાવો વધ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જોકે, વિદેશી બજારોમાં ઉછાળો, તહેવારોની માંગ અને ડોલર સામે રૂપિયો નબળો પડવાને કારણે શનિવારે સ્થાનિક બજારમાં તમામ તેલીબિયાંના ભાવ સ્થિર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ડોલર સામે રૂપિયો નબળો પડવાને કારણે આયાતકારોને ખાદ્યતેલોની આયાત પર પ્રતિ કિલોએ રૂ. 10-15નું નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત જે આયાતકારોએ આ આયાત ઊંચા ભાવે રાખી છે, તેઓને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે.

 

સીતારમણે કેસીઆર પર નિશાન સાધ્યું હતું

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પર નિશાન સાધ્યું હતું. કેસીઆર પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ માત્ર તાંત્રિક અને અંકશાસ્ત્રના નિષ્ણાતોની સલાહ પર રાજ્ય સચિવાલય જવાનું બંધ કર્યું નથી, પરંતુ લાંબા સમયથી તેમના મંત્રીમંડળમાં મહિલાઓનો સમાવેશ પણ કર્યો નથી. સીતારમણે એક નિવેદનમાં કહ્યું, “TRSની રચના તેલંગાણાની ભાવનાને સમજવા માટે કરવામાં આવી હતી. રાવે તેલંગાણા સાથે દગો કર્યો છે અને તાંત્રિકોની સલાહ પર TRSનું નામ બદલીને ભારતીય રાષ્ટ્ર સમિતિ (BRS) કરી દીધું છે.

Published On - 7:22 am, Sun, 9 October 22

Next Article