ભારત બંધ દરમિયાન ખેડૂતોનો મોટો પ્લાન, રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો 10 કલાક સુધી જામ કરશે, એમ્બ્યુલન્સ અને ઈમરજન્સી સેવાઓને મળશે મુક્તિ

|

Sep 25, 2021 | 10:39 PM

ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC) એ બુધવારે 27 સપ્ટેમ્બરે યુનાઇટેડ કિસાન મોરચા દ્વારા બોલાવાયેલા 'ભારત બંધ' ને ટેકો આપવાની જાહેરાત કરી હતી.

ભારત બંધ દરમિયાન ખેડૂતોનો મોટો પ્લાન, રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો 10 કલાક સુધી જામ કરશે, એમ્બ્યુલન્સ અને ઈમરજન્સી સેવાઓને મળશે મુક્તિ
Bharat Bandh (File Photo)

Follow us on

સંયુક્ત કિસાન મોરચાના (SKM) આહ્વાન પર, ત્રણ કૃષિ કાયદાઓ (Agriculture Laws) સામે 27 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. હરિયાણાના ખેડૂતોએ (Farmers) 27 સપ્ટેમ્બરના રોજ તમામ રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો દસ કલાક (સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધી) બંધ રાખવાનો સંકલ્પ કર્યો છે.

ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનના દસ મહિના પૂરા થવા પર બંધનું એલાન આપવામાં આવ્યું છે. ભારતીય કિસાન યુનિયનના નેતા ગુરનામ સિંહ એ કહ્યું કે, બંધના એલાનમાંથી એમ્બ્યુલન્સ અને અન્ય ઈમરજન્સી સેવાઓને મુક્તિ આપવામાં આવશે. તેમણે કહ્યું, અમે સરકારી નીતિઓ સામે અમારી નારાજગી વ્યક્ત કરી રહ્યા છીએ, પરંતુ જનતાને કોઈ અસુવિધા પહોંચાડવા નથી માંગતા. અમે દુકાનદારો, મજૂરો અને કર્મચારીઓને બંધના આહ્વાનમાં જોડાવા અને ટેકો આપવા વિનંતી કરી છે.

સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધી બંધ રહેશે

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

એક નિવેદનમાં, સંયુક્ત કિસાન મોરચાએ જણાવ્યું હતું કે, 27 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી દેશભરમાં બધું બંધ રહેશે. આ સમય દરમિયાન, જાહેર અને ખાનગી પરિવહન પણ અટકી જશે. તેમાં કહેવામાં આવ્યું છે કે હોસ્પિટલો, મેડિકલ સ્ટોર્સ, રાહત અને બચાવ કામગીરી સહિતની ઈમરજન્સી સંસ્થાઓ અને આવશ્યક સેવાઓ અને વ્યક્તિગત ઈમરજન્સી સેવાઓમાં સામેલ લોકોને મુક્તિ આપવામાં આવશે.

બેંક ઓફિસર્સ યુનિયને બંધને ટેકો આપ્યો

ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC) એ બુધવારે 27 સપ્ટેમ્બરે યુનાઇટેડ કિસાન મોરચા દ્વારા બોલાવાયેલા ‘ભારત બંધ’ ને ટેકો આપવાની જાહેરાત કરી હતી. AIBOC એ સરકારને સંયુક્ત કિસાન મોરચાની માંગણીઓ પર ફરી વાતચીત શરૂ કરવા અને ત્રણ વિવાદિત કૃષિ કાયદાઓને રદ કરવા વિનંતી કરી.

યુનિયને એક નિવેદનમાં કહ્યું કે, AIBOC સાથે જોડાયેલા અને રાજ્ય એકમો સોમવારે દેશભરમાં ખેડૂતોના વિરોધ સાથે એકતા બતાવશે. આ મહિનાની શરૂઆતમાં જારી કરવામાં આવેલા જમીન અને પરિવારો પાસે રહેલ પશુધન અને કૃષિ સાથે સંકળાયેલા પરિવારોની સ્થિતિનો 2018-19 ની આકારણીના રિપોર્ટનો ઉલ્લેખ કરતા યુનિયને કહ્યું કે, તે સૂચવે છે કે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું સરકારનું લક્ષ્ય એ દૂરનું સ્વપ્ન છે.

 

આ પણ વાંચો : PM Modi UNGA: પાકિસ્તાનનું નામ લીધા વિના નિશાન સાધ્યું, અફઘાનિસ્તાન પર પણ બોલ્યા, જાણો UNમાં વડાપ્રધાન મોદીના સંબોધનની 10 મોટી વાતો

આ પણ વાંચો : હવે લેહ લદ્દાખમાં વધુ સારી રીતે સાંભળી શકાશે રેડિયો, દરિયાઈ સપાટીથી 13300 ફૂટની ઉંચાઈએ હાઈ પાવર ટ્રાન્સમીટરનું કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કર્યુ ઉદ્ઘાટન

Next Article