Eid ul Fitr : દેશભરમાં આજે ઈદની ઉજવણી થઈ રહી છે, રાષ્ટ્રપતિ મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છાઓ

|

Apr 22, 2023 | 9:01 AM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે હું ઈદ ઉલ ફિત્ર પર ભારત અને વિદેશમાં વસતા તમામ નાગરિકોને, ખાસ કરીને આપણા મુસ્લિમ ભાઈઓ અને બહેનોને મારી હાર્દિક શુભેચ્છાઓ આપું છું.

Eid ul Fitr : દેશભરમાં આજે ઈદની ઉજવણી થઈ રહી છે, રાષ્ટ્રપતિ મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છાઓ
Eid ul Fitr (file photo)
Image Credit source: Social Media

Follow us on

દેશભરમાં આજે ધામધૂમથી ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ નરેન્દ્ર મોદીએ ઈદ ઉલ ફિત્રના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. શુક્રવારે રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઈદ પવિત્ર રમઝાન મહિનાના અંતને ચિહ્નિત કરે છે. ઈદ એ પ્રેમ અને કરુણાની લાગણીઓ વહેંચવાનો તહેવાર છે. તહેવારો આપણને એકતા અને પરસ્પર સમરસતાનો સંદેશ આપે છે.

રાષ્ટ્રપતિ મુર્મુએ ઈદ-ઉલ-ફિત્રની પૂર્વ સંધ્યાએ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે દરેકને ભાઈચારાને પ્રોત્સાહન આપવા માટે સંકલ્પ લેવા જણાવ્યું છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ઈદ સૌહાર્દની ભાવનાથી રંગાયેલી છે, જે આપણને શાંતિપૂર્ણ અને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરવા માટે પ્રેરણા આપે છે. ભારતની પ્રથમ મહિલાએ કહ્યું કે હું ઈદ ઉલ ફિત્રના અવસર પર ભારત અને વિદેશના તમામ નાગરિકોને, ખાસ કરીને આપણા મુસ્લિમ ભાઈઓ અને બહેનોને મારી હાર્દિક શુભકામનાઓ આપું છું.

આજનું રાશિફળ તારીખ : 05-10-2024
પત્નીએ કરી હતી આત્મહત્યા, હવે માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત
પ્રેમાનંદ મહારાજે જણાવ્યા ઘરના કલેશથી મુક્તિ મેળવવાના ઉપાયો
દારૂ પીવા કરતાં પણ વધુ ખતરનાક છે બદામ ખાવાની ખોટી રીત, સદગુરુએ જણાવી સાચી રીત
જો આ 3 જગ્યાએ ઘર બનાવશો તો મુશ્કેલી ક્યારેય નહીં છોડે તમારો સાથ
સવારે ખાલી પેટ તજનું પાણી પીવાથી જાણો શું થાય છે?

પીએમ મોદીએ પણ પાઠવી શુભકામના

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાને ઈદની શુભેચ્છા પાઠવી હતી. શુક્રવારે પીએમ મોદીએ વિશ્વભરના લોકો માટે શાંતિ, સ્વાસ્થ્ય અને ખુશીની કામના કરી હતી. પીએમએ કહ્યું કે ભારતના લોકો વતી હું તમને અને બાંગ્લાદેશના લોકોને ઈદની શુભેચ્છા પાઠવું છું. વડા પ્રધાન મોદીએ કહ્યું કે, રમઝાન દરમિયાન વિશ્વભરના મુસ્લિમો ઉપવાસ કરે છે અને પ્રાર્થના કરે છે. ઈદ-ઉલ-ફિત્રના શુભ અવસર પર વિશ્વના લોકો એકતાના મૂલ્યોને સાકાર કરી રહ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 6:47 am, Sat, 22 April 23

Next Article