Earthquake : જમ્મુ-કાશ્મીરના કટરામાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ સવારે 3.02 વાગ્યે આવ્યો હતો. ભૂકંપ જમ્મુ-કાશ્મીરના કટરાથી 84 કિમી પૂર્વમાં આવ્યો હતો. તેની તીવ્રતા 3.5 હતી.

Earthquake : જમ્મુ-કાશ્મીરના કટરામાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ
Earthquake tremors (Symbolic image)
| Edited By: | Updated on: Feb 17, 2022 | 6:42 AM

જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir ) કટરામાં (Katra) ભૂકંપ (earthquake) આવ્યો હતો. જો કે, ભૂકંપની તીવ્રતા વધુ ન હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ (National Center for Seismology) આ માહિતી આપી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ આજે સવારે 3.02 વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમ્મુ-કાશ્મીરના કટરાથી 84 કિમી પૂર્વમાં નોંધાયુ છે. તેની તીવ્રતા 3.5 હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગઈકાલ બુધવારે સવારે 5.45 કલાકે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે તેની તીવ્રતા પણ ઘણી ઓછી હતી. રિક્ટર સ્કેલ મુજબ તેની તીવ્રતા 3.2 નોંધાઈ હતી.

અગાઉ 5 ફેબ્રુઆરીએ, જમ્મુ અને કાશ્મીરમાં સવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા આ બે ભૂકંપ કરતા ઘણી વધારે હતી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.7 માપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે કેન્દ્રશાસિત પ્રદેશમાં ભૂકંપની સ્થિતિનો તાગ મેળવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સાથે પણ ફોન પર વાત કરી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.7 હતી અને આ આંચકા સવારે 9.45 વાગ્યાની આસપાસ અનુભવાયા હતા.

લોકો ઘરની બહાર નીકળી ગયા

5 ફેબ્રુઆરીએ આવેલા આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તજાકિસ્તાનની સરહદ પાસે હતું, જેના કારણે જમ્મુ-કાશ્મીરમાં ખૂબ જ જોરદાર આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીર ઉપરાંત પંજાબ અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકા એટલા જોરદાર હતા કે જમ્મુ-કાશ્મીર, ચંદીગઢ અને પંજાબમાં ઘણી જગ્યાએ લોકો ડરીને ઘરની બહાર નીકળી ગયેલા જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ Earthquake : જમ્મુ-કાશ્મીરમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા

આ પણ વાંચોઃ Earthquake :કાશ્મીર અને નોઈડામાં ભૂકંપના આંચકા અનુભવાયા, કોઈ જાન-માલનું નુકસાન નહિ

 

Published On - 6:31 am, Thu, 17 February 22