મુસાફરો માટે સારા સમાચાર એ છે કે રેલવે હવે તમારો સામાન તમારા ઘરેથી લઈ જઈ ને તમારા સ્ટેશન સુધી પહોચાડશે. દિવાળીથી પહેલાથી રેલવે, “બેગ્સ ઓન વ્હીલ્સ” સેવાની શરૂઆત કરવા જઈ રહી છે. આ સેવા હેઠળ રેલવેથી સામાન મોકલવા માટે એક એપ પર માત્ર તમારે બુકીંગ કરાવવાનું રહેશે અને બાકી તમારા ઘરેથી સામાન લઈ જઈને બોગીમાં ચઢાવવા સુધીનું કામ રેલવે જ કરશે.
શરૂઆતમાં દિલ્હી-એનસીઆરનાં સાત સ્ટેશન પર આ સુવિધા મળી રહેશે. ઉત્તર અને મધ્ય રેલવેનાં જનરલ મેનેજર રાજીવ ચૌધરીએ જણાવ્યું કે મુસાફરોનાં ઘર, ઓફિસ વગેરે જગ્યાએથી લઈ તેમના કોચ સુધી સામાન લઈ જવાની સટીક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એન્ડ્રોઈડ અને આઈ ફોન વપરાશકર્તા આ એપનો ઉપયોગ કરશે.
આ રીતે કામ કરશે
રેલવે મુસાફરો પોતાના સામાનને ઘરથી રેલવે સ્ટેશન લાવવા સુધી અથવા તો રેલવે સ્ટેશનથી ઘરે પહોચાડવા માટે એપ્લિકેશન પર નોંધણી કરાવવી પડશે જે મુજબ મુસાફર દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ તેમનો સામાન સુરક્ષિત રીતે કોચ સુધી પહોચાડવા માટે કે કોચથી ઘરે પહોચાડવા માટેનું કામ કરશે. આ સેવા માટે નક્કી કરવામાં આવેલા પૈસાની ચૂકવણી કરવી પડશે.
આમને થશે ફાયદો
સિનિયર સિટીઝન, દિવ્યાંગ વ્યક્તિ તેમજ એકલી મુસાફરી કરી રહેલી મહિલા યાત્રીઓ માટે આ ઘણું ફાયદાકારક બની રહેશે
આ સાત સ્ટેશન પર ઉપલબ્ધ થશે સેવા
નવી દિલ્હી, દિલ્હી જંક્શન, હઝરત નિઝામુદ્દીન, દિલ્હી છાવણી, દિલ્હી સરાય રોહિલ્લા, ગાઝીયાબાદ અને ગુરૂગ્રામ પર આ સેવા ઉપલબ્ધ થશે.
ઘરે બેઠા પાર્સલ મોકલી શકાશે
જલ્દીથી ઘરે બેઠા હવે તમે રેલવે પાર્સલ મોકલી શકાશે. પાર્સલ મોકલના માટે લોકોએ સ્ટેશન અથવા તો રેલવે કાર્યાલય સુધી જવાની જરૂર નહી પડે, માત્ર તમારેે એક ફોન કરવાનો રહેશે, રેલવેના અધિકારીઓ મુજબ જલ્દી જ આ સેવા માટે એક નંબર બહાર પાડવામાં આવશે, ફોન પર બુકીંગ કરાવ્યા બાદ ઘરથી સ્ટેશન સુધી સામાન પહોચાડવા માટે પાર્સલ વાનમાં તેને ચઢાવીને તેના મૂળ સ્થાન સુધી પહોચવા માટેની તમામ જવાબદારી રેલવેની હશે. મુસાફરે માત્ર વજન અને કેટલા કિલોમીટરની મુસાફરી છે તેના આધારે પૈસા ચુકવવાનાં રહેશે
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો