દિલ્હીમાં હવે ત્રણને બદલે એક મ્યુનિસિપલ કોર્પોરેશન હશે, MCD સંશોધન બિલ રાજ્યસભામાં પસાર થયું

આ બિલ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, 1957માં સુધારો કરવા માંગે છે, જેથી દિલ્હીની ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનોને એક કરી શકાય. ઉલ્લેખનીય છે કે, આ બિલ 30 માર્ચે લોકસભામાં પસાર થયું હતું.

દિલ્હીમાં હવે ત્રણને બદલે એક મ્યુનિસિપલ કોર્પોરેશન હશે, MCD સંશોધન બિલ રાજ્યસભામાં પસાર થયું
Amit Shah - File Photo
| Edited By: | Updated on: Apr 05, 2022 | 10:27 PM

લોકસભા પછી, મંગળવારે રાજ્યસભા દ્વારા પણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (સુધારા) બિલ, 2022 પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ (Delhi Municipal Corporation (Amendment) Bill, 2022) રાજ્યસભામાં અવાજ મત દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Home Minister Amit Shah) મંગળવારે રાજ્યસભામાં મ્યુનિસિપલ કોર્પોરેશન ઑફ દિલ્હી (સુધારા) બિલ, 2022 રજૂ કર્યું હતું, જેને બાદમાં રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, 1957માં સુધારો કરવા માંગે છે, જેથી દિલ્હીની ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનોને એક કરી શકાય. ઉલ્લેખનીય છે કે, આ બિલ 30 માર્ચે લોકસભામાં પસાર થયું હતું.

બિલ રજૂ કરતી વખતે અમિત શાહે રાજ્યસભામાં કહ્યું હતું કે આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા ત્રણ કોર્પોરેશનો સાથે સાવકી માતાના વર્તનને કારણે આ (દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમેન્ડમેન્ટ) બિલ, 2022) બિલ લાવવું પડ્યું છે. આપણી દુશ્મની હોઈ શકે પણ દિલ્હીના લોકો સાથે શું દુશ્મની છે?

જે ઈતિહાસ ભૂલી જાય છે તે ઈતિહાસ બની જાય છે – અમિત શાહ

રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, હું આજે પણ કહું છું કે જે લોકો ઈતિહાસ ભૂલી જાય છે, તેઓ ઈતિહાસ બની જાય છે. આ કોઈ કહેવત નથી, હું તેને ગૃહમાં જોઈ રહ્યો છું. સંસદને દિલ્હી વિધાનસભા દ્વારા બનાવવામાં આવેલા કાયદામાં સુધારો કરવાનો અધિકાર છે કારણ કે દિલ્હી સંપૂર્ણ રાજ્ય નથી. જેઓ અમને સત્તાના ભૂખ્યા કહે છે, તેમણે પોતાની જાતને અરીસામાં જોવી જોઈએ.

કોંગ્રેસે કહ્યું- દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન બિલ કોર્ટમાં રદ્દ થઈ શકે છે

કોંગ્રેસે દિલ્હીની ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનોને એકીકૃત કરવા માટેના બિલને બંધારણીય રીતે અસમર્થ ગણાવ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે જો કોર્ટમાં પડકારવામાં આવે તો આ પ્રસ્તાવિત અધિનિયમને રદ કરી શકાય છે. પાર્ટીના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ પત્રકારોને કહ્યું, તે ભારતીય જનતા પાર્ટી નથી, તે ભારતીય નિયંત્રણ પાર્ટી છે. તે તમામ કોર્પોરેશનો પર નિયંત્રણ રાખવા માંગે છે. તેમણે દાવો કર્યો, આ બંધારણીય રીતે અસમર્થ કાયદો હશે. જ્યારે તેને પડકારવામાં આવે ત્યારે તેને રદ કરી શકાય છે. કેન્દ્ર સરકારે કોર્પોરેશનોને કેટલા પૈસા આપ્યા તે જણાવાયું ન હતું?

આ પણ વાંચો:

દુનિયામાં વાગશે ભાજપનો ડંકો, પાર્ટી કરી રહી છે ‘ભાજપને જાણો’ પ્રોગ્રામની શરૂઆત, 13 દેશોના પ્રતિનિધિઓ સાથે કરશે વાત

આ પણ વાંચો:

Gujarat માં ભાજપ સ્થાપના દિવસની આ રીતે કરશે ભવ્ય ઉજવણી