યમુનાનું જળસ્તર ઘટી રહ્યું છે, રસ્તાઓમાંથી ઓસરી રહ્યા છે પાણી, દિલ્હીવાસીઓ માટે નવું સપ્તાહ રાહત સાથે શરૂ થશે

|

Jul 17, 2023 | 7:09 AM

દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના અનેક શહેરો ડૂબી ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાયા હતા, લોકોના ઘરોને નુકસાન થયું હતું. દેશની રાજધાની દિલ્હીમાં સૌથી ખરાબ સ્થિતિ બની હતી, જ્યાં યમુનાએ ખતરાના નિશાનને વટાવી દીધું હતું. દિલ્હીના પોશ વિસ્તારો પણ પાણીના આક્રમણથી બચી શક્યા નથી.

યમુનાનું જળસ્તર ઘટી રહ્યું છે, રસ્તાઓમાંથી ઓસરી રહ્યા છે પાણી, દિલ્હીવાસીઓ માટે નવું સપ્તાહ રાહત સાથે શરૂ થશે
Delhi Rain

Follow us on

ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. છેલ્લા 10 દિવસથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો. દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના અનેક શહેરો ડૂબી ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાયા હતા, લોકોના ઘરોને નુકસાન થયું હતું. દેશની રાજધાની દિલ્હીમાં સૌથી ખરાબ સ્થિતિ બની હતી, જ્યાં યમુનાએ ખતરાના નિશાનને વટાવી દીધું હતું. દિલ્હીના પોશ વિસ્તારો પણ પાણીના આક્રમણથી બચી શક્યા નથી.

આ પણ વાંચો: Rajiv Dixit Health Tips: વેસ્ટર્ન ટોયલેટના ઉપયોગથી થાય છે 103 પ્રકારના રોગ, રાજીવ દીક્ષિતે જણાવ્યું ભારતના લોકોને કેટલા સમય ટોયલેટનો ઉપયોગ કરવો જોઈએ, જુઓ Video

ઈન્ડિયા ગેટ હોય, લાલ કિલ્લો હોય કે રાજઘાટ, દરેક જગ્યાએ માત્ર પાણી જ દેખાતું હતું. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે કલાકો સુધી ટ્રાફિક જામ થયો હતો. લોકોને તેમની ઓફિસે પહોંચવામાં વિલંબ થયો હતો, શાળાઓ બંધ હતી. આ તમામ સમસ્યાઓનો સામનો કર્યા બાદ સોમવારથી શરૂ થનાર નવું સપ્તાહ દિલ્હીવાસીઓ માટે થોડી રાહત લઈને આવશે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

દિલ્હીના ડિવિઝનલ કમિશનરે કહ્યું છે કે યમુનામાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. દિલ્હી અને ઉપરના કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદની અપેક્ષા નથી. ડિવિઝનલ કમિશનરનું આ નિવેદન દિલ્હીના લોકો માટે મોટી રાહત છે. સીએમ કેજરીવાલે પણ કહ્યું છે કે યમુનાનું જળસ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે. તેમણે કહ્યું કે જો ભારે વરસાદ ન થાય તો પરિસ્થિતિ જલ્દી સુધરી જશે.

યમુનાનું જળસ્તર ઘટી રહ્યું છે

દિલ્હીમાં રાત્રે 9 વાગ્યે યમુનાનું જળસ્તર 205.54 મીટર નોંધાયું હતું, જ્યારે રાત્રે 8 વાગ્યે યમુનાનું જળસ્તર 205.56 મીટર હતું. આ આંકડા દર્શાવે છે કે યમુનાનું જળસ્તર સતત ઘટી રહ્યું છે. જો કે પાણીનું સ્તર ઘટવા છતાં દિલ્હીમાં સોમવાર અને મંગળવારે શાળાઓ બંધ રહેશે. કારણ કે ઘણી શાળાઓમાં રાહત શિબિરો ચાલી રહી છે. જેમાં પૂર પ્રભાવિત વિસ્તારોના લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. દિલ્હી સરકારના જણાવ્યા અનુસાર, શાળાઓ 19 જુલાઈથી ખુલશે અને પહેલાની જેમ જ કામ કરશે.

દિલ્હીના PWD મંત્રી અને AAP નેતા આતિશી કહે છે કે અમે રસ્તાઓ પરથી પાણી હટાવી રહ્યા છીએ. યમુનાનું જળસ્તર ઝડપથી ઘટી રહ્યું છે. હવે, અમારી પ્રાથમિકતા જીવનને સામાન્ય સ્થિતિમાં લાવવાની છે અને જેઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે તેમના માટે રાહત અને પુનર્વસન શિબિરો સ્થાપવાની છે, પરંતુ શહેરના ઘણા ભાગો હજુ પણ જળબંબાકાર છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:07 am, Mon, 17 July 23

Next Article