દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે પેશાબ કાંડના આરોપી શંકર મિશ્રાની જામીન અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો

આ ઘટના પર ટાટા ગ્રૂપના ચેરમેન એન. ચંદ્રશેખરને સ્વીકાર્યું કે નશામાં યાત્રીએ મહિલા પર કથિત રીતે પેશાબ કરવાની ઘટના અંગે એર ઈન્ડિયાની (Air India) પ્રતિક્રિયા ઝડપી હોવી જોઈએ. ચંદ્રશેખરને કહ્યું કે અમે આ ઘટનાને જે રીતે હેન્ડલ કરવી જોઈતી હતી તે રીતે અમે તેને હેન્ડલ કરવામાં નિષ્ફળ ગયા.

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે પેશાબ કાંડના આરોપી શંકર મિશ્રાની જામીન અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો
Shankar Mishra
| Edited By: | Updated on: Jan 11, 2023 | 4:44 PM

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં વૃદ્ધ મહિલા પર પેશાબ કરવાના આરોપી શંકર મિશ્રાની જામીન અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. દિલ્હી પોલીસે શંકર મિશ્રાને જામીન આપવાનો વિરોધ કર્યો હતો. પોલીસે કહ્યું કે જો તેને જામીન પર છોડવામાં આવે તો તે ફરિયાદીને પ્રભાવિત કરી શકે છે. દિલ્હી પોલીસે શંકર મિશ્રાની કસ્ટડી નકારતા મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને પડકાર્યો હતો. શંકર મિશ્રા તરફથી હાજર રહેલા એડવોકેટ મનુ શર્માએ કહ્યું કે FIR માં માત્ર એક જ બિનજામીનપાત્ર ગુનાનો ઉલ્લેખ છે, અન્ય જામીનપાત્ર ગુના છે.

શંકર મિશ્રાને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો

વકીલે કહ્યું કે મારા અસીલે પોતાની નિર્દોષતા સાબિત કરવાના ઈરાદાથી કથિત ઘટના સાથે સંબંધિત બધી તપાસમાં ભાગ લીધો છે અને તે આમ કરવાનું ચાલુ રાખશે, તે પોલીસને તપાસમાં મદદ કરશે. કોર્ટમાં આરોપી વતી વકીલે કહ્યું કે તે દારૂ પીવા પર કાબૂ મેળવી શકતો નથી પરંતુ પેન્ટ ખોલવી એ યૌન ઈચ્છા માટે નથી. ફરિયાદીએ તેને અશ્લીલ વ્યક્તિ તરીકે ગણ્યો નથી. ટ્રાયલમાં સમય લાગશે પરંતુ આ આરોપો બાદ શંકર મિશ્રાને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો છે.

અગાઉ, અન્ય મેજિસ્ટ્રેટ કોર્ટે શંકર મિશ્રાને પોલીસ કસ્ટડીમાં મોકલવાનો ઈનકાર કરતા, 7 જાન્યુઆરીએ તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. આ ઘટના ગયા વર્ષે 26 નવેમ્બરે ન્યૂયોર્કથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટના બિઝનેસ ક્લાસમાં બની હતી. એર ઈન્ડિયાને મહિલાની ફરિયાદના આધારે, દિલ્હી પોલીસે 4 જાન્યુઆરીએ શંકર મિશ્રા વિરુદ્ધ FIR નોંધી હતી અને 7 જાન્યુઆરીએ બેંગલુરુથી તેની ધરપકડ કરી હતી.

અમે આ ઘટનાને જે રીતે હેન્ડલ કરવી જોઈતી હતી તે રીતે અમે તેને હેન્ડલ કરવામાં નિષ્ફળ ગયા

આ ઘટના પર ટાટા ગ્રૂપના ચેરમેન એન. ચંદ્રશેખરને સ્વીકાર્યું કે નશામાં યાત્રીએ મહિલા પર કથિત રીતે પેશાબ કરવાની ઘટના અંગે એર ઈન્ડિયાની પ્રતિક્રિયા ઝડપી હોવી જોઈએ. ચંદ્રશેખરને કહ્યું કે અમે આ ઘટનાને જે રીતે હેન્ડલ કરવી જોઈતી હતી તે રીતે અમે તેને હેન્ડલ કરવામાં નિષ્ફળ ગયા. તેમણે કહ્યું કે ટાટા ગ્રુપ અને એર ઈન્ડિયા તેમના મુસાફરોની સુરક્ષા અને સુખાકારી માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. અમે સમીક્ષા કરીશું અને આવી અનિયંત્રિત કોઈપણ ઘટનાને રોકવા અથવા તેનો સામનો કરવા માટે તમામ સંભવિત વ્યવસ્થા કરીશું.

(ઈનપુટ – ભાષા)