દિલ્હી-NCRની ધરા ધ્રુજી, રાત્રે 1.57 વાગ્યે અનુભવાયા ભૂકંપના જોરદાર આંચકા, નેપાળમાં 6ના મોત

|

Nov 09, 2022 | 9:05 AM

Earthquake News : તેનું કેન્દ્ર નેપાળ સરહદ નજીક ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના 90 કિમી દક્ષિણપૂર્વમાં હતું. દિલ્હી ઉપરાંત ઉત્તરાખંડ, હિમાચલ અને ઉત્તર પ્રદેશમાં કેટલીક જગ્યાએ આ ભૂકંપના આંચકા અનુભવાયા છે.

દિલ્હી-NCRની ધરા ધ્રુજી, રાત્રે 1.57 વાગ્યે અનુભવાયા ભૂકંપના જોરદાર આંચકા, નેપાળમાં 6ના મોત
Earthquake in China

Follow us on

રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં (Delhi-NCR) મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, 6.3ના આ ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું. દિલ્હીના ઘણા વિસ્તારોમાં રાત્રે લગભગ 1.57 વાગ્યે આ ભૂકંપના આંચકાથી લોકો અચાનક જાગી ગયા હતા. લોકો ગભરાઈને ઘરોની બહાર નીકળી ગયા હતા. જો કે ભૂકંપના કારણે દિલ્હી-એનસીઆરમાં કોઈ જાનહાનીના અહેવાલ મળ્યા નથી.

કેન્દ્ર પિથોરાગઢ જિલ્લાના 90 કિમી દક્ષિણપૂર્વમાં

સિસ્મોલોજી સેન્ટર અનુસાર, તેનું કેન્દ્ર નેપાળ સરહદ નજીક ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના 90 કિમી દક્ષિણપૂર્વમાં હતું. દિલ્હી ઉપરાંત ઉત્તરાખંડ, હિમાચલ અને ઉત્તર પ્રદેશમાં કેટલીક જગ્યાએ આ ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેપાળના દોતી જિલ્લામાં ભૂકંપ બાદ મકાન ધરાશાયી થતાં લગભગ 6 લોકોના મોત થયા છે. આ ઘટના રાત્રે 2.12 કલાકે બની હતી. આ પછી પણ નેપાળમાં ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

દિલ્હી-એનસીઆરમાં કોઈ નુકસાનની જાણ નથી

ભૂકંપના આ આંચકાથી દિલ્હી-એનસીઆરમાં કોઈ નુકસાન થયું નથી, તેમ છતાં લોકો ડરી ગયા અને ઘરની બહાર નીકળી ગયા. ભૂકંપના આંચકા દરમિયાન લોકોએ ઘરમાં પંખા હલતા હોવાનો અહેસાસ કર્યો હતો. સાથે જ લોકોએ કંપન પણ અનુભવ્યું હતું. ભૂકંપના આંચકા બાદ લોકો ટ્વિટર પર પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. સૌરભ નામના ટ્વિટર હેન્ડલે ટ્વિટ કર્યું, “હું સૂઈ રહ્યો હતો અને અચાનક બેડ ઝડપથી ધ્રૂજી ગયો… શું દિલ્હીમાં ભૂકંપ આવ્યો છે?” તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું, “ભૂકંપના આંચકાથી એવું લાગ્યું કે કોઈ મને ઝડપથી હલાવી રહ્યું છે.”

જણાવી દઈએ કે, આ પહેલા 6 નવેમ્બરે ઉત્તરાખંડ અને 1 નવેમ્બરે મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા.

Published On - 6:38 am, Wed, 9 November 22

Next Article