મોદી સરકારે તેમના બીજા કાર્યકાલમાં સરકારી વિભાગોના ભ્રષ્ટ અધિકારીઓને નિવૃત કરવાની પ્રક્રિયા સતત ચાલુ છે. આ પ્રક્રિયામાં CBDTના 22 સિનીયર અધિકારીઓને જબરજસ્તીથી નિવૃત કર્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ તમામ અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપ લાગેલા છે. આ તમામ સુપરિટેન્ડન્ટ અને AO રેન્કના અધિકારી હતા. આ નિર્ણય ફંડામેન્ટલ રૂલ 56 (J) હેઠળ લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પહેલા પણ CBDTના સિનીયર અધિકારીઓને જબરજસ્તીથી નિવૃત કરવામાં આવ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
નાણા મંત્રાલયનો કાર્યભાર સંભાળતા જ નિર્મલા સીતારમણે કડક નિર્ણય લેવાના શરૂ કરી દીધા હતા. નાણામંત્રીએ ઘણા મોટા અધિકારીઓને જબરજસ્તીથી નિવૃત કરી દીધા હતા. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સના નિયમ 56 હેઠળ નાણા મંત્રાલયના આ અધિકારીઓને સરકાર સમય પહેલા જ નિવૃતી આપી રહી છે.
[yop_poll id=”1″]