રાહતના સમાચાર : Coronaની પીક હવે એટલી ભયાનક નહીં હોય, IIT પ્રોફેસરનો દાવો, 4 લાખથી ઓછા કેસ આવશે

|

Jan 17, 2022 | 7:13 PM

IIT કાનપુરના પ્રોફેસર ડૉ. મનિન્દ્ર અગ્રવાલે કહ્યું છે કે કોરોનાની પીક અપેક્ષા કરતા ઓછી ખતરનાક હશે. તેમણે કહ્યું કે કોરોનાની (Corona) ત્રીજી લહેર એક દિવસમાં આવતા કેસ 4 લાખથી વધે નહીં.

રાહતના સમાચાર : Coronaની પીક હવે એટલી ભયાનક નહીં હોય, IIT પ્રોફેસરનો દાવો, 4 લાખથી ઓછા કેસ આવશે
Third Wave Peak will record less than 4 lakh cases (Representational Image

Follow us on

IIT કાનપુરના (IIT Kanpur) પ્રોફેસર ડૉ. મનિન્દ્ર અગ્રવાલે(Dr Manindra Agrawal) કહ્યું છે કે કોરોનાની પીક અપેક્ષા કરતા ઓછી ખતરનાક હશે. તેમણે કહ્યું કે કોરોનાની (Corona) ત્રીજી લહેર એક દિવસમાં આવતા કેસ 4 લાખથી વધે નહીં. અગાઉ, ઝડપથી વધી રહેલા કેસોના આધારે, પ્રોફેસર અગ્રવાલે અનુમાન લગાવ્યું હતું કે જ્યારે કોરાના તેની પીક પર હશે ત્યારે દરરોજ 7 લાખથી વધુ કેસ આવી શકે છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતા, તેમણે કહ્યું છે કે જ્યારે કોરોના પીક પર હશે ત્યારે 4 લાખથી ઓછા જ કેસ આવવાની શક્યતા છે.

પ્રોફેસરે કહ્યું કે કોરોનાની પીક હવે એટલી ભયાનક નહીં હોય જેટલી અમને આશા હતી. તેમણે કહ્યું કે 11 જાન્યુઆરીના ડેટા અનુસાર એવું લાગી રહ્યું હતું કે 23 જાન્યુઆરીએ કોરોનાના કેસ વધશે અને દરરોજ 7.2 લાખ કેસ નોંધાશે. પણ હવે એવું નહીં થાય. કેસો પહેલેથી ઓછા આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, અગાઉના અનુમાન કરતા, ઓછા કેસ આવવાની અપેક્ષા છે.

પ્રોફેસર ડૉ. મનિન્દ્ર અગ્રવાલે કોરોનાના ઓછા કેસ વિશે કહ્યું કે તેની પાછળ અલગ-અલગ કારણો હોઈ શકે છે. તેમણે કહ્યું કે વસ્તીમાં બે જૂથ છે. પ્રથમ જૂથ છે જે ઓમિક્રોન સામે લડવા માટે ઓછી Immunity ધરાવે છે. બીજી બાજુ, એક જૂથ છે જે વધુ પ્રતિરક્ષા ધરાવે છે. ઓમિક્રોનના કેસોમાં ઝડપથી વધારો થયો છે, આ માટે પ્રથમ જૂથને જવાબદાર માનવામાં આવે છે. મ્યુટન્ટ્સ પહેલાથી જ આ જૂથને નિશાન બનાવી ચૂક્યા છે જેના કારણે કેસ ઝડપથી વધી રહ્યા છે. અને તે જૂથના મોટાભાગના લોકોને ચેપ લાગ્યો છે. તે જ સમયે, અન્ય જૂથોના લોકો ઓછા સંક્રમિત થઈ રહ્યા છે, જેના કારણે કોરોનાના ફેલાવાની ગતિ પણ ધીમી પડી છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

તેમણે આગળ કહ્યું,” 10 જાન્યુઆરીના રોજ, ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) એ તેની પરીક્ષણ નીતિમાં સુધારો કર્યો. જેમાં કહેવામાં આવ્યું છે કે જેઓ કોવિડ-19થી સંક્રમિત લોકોના સંપર્કમાં આવે છે તેમની તપાસ કરવાની જરૂર નથી, સિવાય કે તેઓ ઉંમર અથવા અન્ય રોગોને કારણે ‘હાઈ રિસ્ક’ની શ્રેણીમાં ન આવે. ICMRએ કોરોના પર તેની નવી એડવાઈઝરીમાં એમ પણ કહ્યું હતું કે ‘આંતર-રાજ્ય’ અને ઘરેલુ મુસાફરી કરનારા વ્યક્તિઓએ પણ પરીક્ષણ કરવાની જરૂર નથી’.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,58,089 નવા કેસ નોંધાયા છે

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,58,089 નવા કેસ નોંધાયા છે જ્યારે મહામારીના કારણે 385 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 3,73,80,253 થઈ ગઈ છે. તે જ સમયે, મૃત્યુની કુલ સંખ્યા વધીને 4,86,451 થઈ ગઈ છે. દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 16,56,341 થઈ ગઈ છે, જે કુલ કેસના 4.43 ટકા છે.

આ પણ વાંચો:

Covid Vaccination: ‘વ્યક્તિની સંમતિ વિના વેક્સિનેશન થઈ શકે નહીં’, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે આપ્યો જવાબ

આ પણ વાંચો:

Covid 19 Updates: જાણો કઈ તારીખે ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં એક સાથે આવી શકે છે Third Waveની પીક

Published On - 7:12 pm, Mon, 17 January 22

Next Article