COVID-19 Vaccination: વેક્સિન લેવા જઇ રહ્યા છો? વેક્સિન લેતા પહેલા અને પછી શું કરવું તે જાણીલો

|

May 07, 2021 | 7:57 PM

ઘણા લોકો વેક્સિનેશનની પ્રક્રિયા વિશે ખૂબ મૂંઝવણમાં છે અને તેઓએ વેક્સિન પહેલાં અને પછી શું કરવું જોઈએ તે અંગે મૂંઝવણમાં છે.

COVID-19 Vaccination: વેક્સિન લેવા જઇ રહ્યા છો? વેક્સિન લેતા પહેલા અને પછી શું કરવું તે જાણીલો
Corona Vaccine

Follow us on

કોરોનાવાયરસના ફેલાવામાં સતત થતા વધારાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નાગરિકોને કોવિડ -19 રોગચાળાથી બચાવવા માટે, સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસીકરણની મંજૂરી આપી છે. આનાથી દેશમાં ટ્રાન્સમિશન, ગંભીર અને મૃત્યુદર અટકાવવામાં મદદ મળશે. પહેલી મેએ રસીકરણ અભિયાન શરૂ થયા પછી, કેટલાક લોકો એવા છે કે જેઓ હજી પણ વેક્સિનેશનની પ્રક્રિયા વિશે ખૂબ મૂંઝવણમાં છે અને તેઓએ વેક્સિન પહેલાં અને પછી શું કરવું જોઈએ તે અંગે મૂંઝવણમાં છે.

તેથી તમારા ડાઉટને દૂર કરવા માટે, અમે કેટલાક વારંવાર પૂછાતા પ્રશ્નોના જવાબ લઈને આવ્યા છીએ જે તમને રસીકરણ સમજવામાં મદદ કરશે.

વેક્સિનેશન પહેલાં તમારે શું કરવું જોઈએ?

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

1. કો-વિન (CoWin) પોર્ટલ અને આરોગ્ય સેતુ એપ્લિકેશન પર વેક્સિન માટે પોતાની નોંધણી કરો.

2. જો તમે COVID-19 લક્ષણો અનુભવી રહ્યા છો, તો તરત જ તમારા ડોક્ટરની સલાહ લો.

3. જો તમે કોઈ દવા વાપરો છો, તો તમારે તમારા ડોક્ટરને પૂછવું જોઈએ કે શું COVID-19 રસીકરણ પહેલાં અને પછી તે દવા લેવાનું ટાળવું જોઈએ કે ચાલુ રાખવી જોઈએ.

4. હાઇડ્રેટેડ રહો અને રાત્રે સારી ઊંઘ લો.

તમારે કઈ દવાઓથી દૂર રહેવું જોઈએ?

1. ડોકટરો ભલામણ કરે છે કે રસીકરણ પછીની અસરોથી બચવા માટે લોકોને આઇબુપ્રોફેન અને એસ્પિરિન જેવી દવાઓ લેવી જોઈએ.

2. આ ઉપરાંત, લોકોએ એલર્જીથી બચવા માટે રસીકરણ પહેલાં એન્ટિથિસ્ટેમાઈન્સ લેવાનું ટાળવું જોઈએ.

રસીકરણ પછી તમારે શું કરવું જોઈએ?

1. હાઈડ્રેડ રહેવું જોઈએ.

2. જો તમને તાવ આવી રહ્યો છે, તો દવાઓ વિશે તમારા ડોક્ટરની સલાહ લો.

3. જ્યાં તમને રસી આપવામાં આવી હતી તે વિસ્તારમાં પીડા થશે, તેથી ડોકટરોએ પીડા ઘટાડવા માટે કોઈ પણ દવા ન લેવાની સલાહ આપી છે.

4. રસીકરણ પછી લોકોએ આલ્કોહોલનું સેવન કરવાનું ટાળવું જોઈએ કારણ કે તેની રસી પર આડઅસરો પર નકારાત્મક અસરો થઈ શકે છે.

COVID-19 રસીકરણ માટેના દસ્તાવેજો

પાનકાર્ડ અથવા આધારકાર્ડ જેવા નોંધણી માટે તમારા દ્વારા વપરાતા ઓળખ પુરાવાની નકલ લો. આ વિના તમે રસીકરણ માટે પાત્ર નહીં બનો.

ધ્યાનમાં રાખવાની બાબતો

1. ખાતરી કરો કે તમે રસીકરણ કેન્દ્રમાં ડબલ માસ્ક અથવા N 95 પહેરેલ છે.

2. રસીકરણ કેન્દ્ર પર સામાજિક અંતર જાળવવું.

3. તમારા હાથના ઉપલા ભાગમાં વેક્સિન આપવામાં આવશે. તેથી ખુલ્લી અને હાલ્ફ સ્લીવ્ઝની ટી-શર્ટ અથવા શર્ટ પહેરો.

Published On - 7:35 pm, Fri, 7 May 21

Next Article