ભારતમાં કોરોના વાયરસના 8,895 નવા કેસ સાથે, 2,796 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા આંકડાથી આ માહિતી સામે આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એકલા બિહારના 2,426 મૃત્યુ સાથે કેરળમાંથી 263 મૃત્યુના આંકડા સામેલ છે. આ આંકડાઓને જોડીએ તો દેશમાં કોરોનાના કારણે 2,796 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. આ અંગે માહિતી આપતાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, આ સાથે દેશમાં સક્રિય કેસની સંખ્યા 99,155 પર પહોંચી ગઈ છે.
છેલ્લા દિવસનો ડેટા
આગલા દિવસના આંકડાઓની વાત કરીએ તો, 4 ડિસેમ્બરે સવારે 8 વાગ્યે અપડેટ થયેલા ડેટા અનુસાર, કોરોના વાયરસથી 415 લોકોના મોત થયા હતા અને 8,603 નવા કેસ નોંધાયા હતા. એટલે કે ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાના કેસોમાં થોડો વધારો થયો છે.
દેશમાં કુલ મૃત્યુઆંક
દેશમાં કુલ મૃત્યુઆંક 473326 પર પહોંચી ગયો છે, જ્યારે અત્યાર સુધીમાં 4060774 દર્દીઓએ સંક્રમણને માત આપી છે. તમને જણાવી દઈએ કે આ સમયે દક્ષિણ કોરિયાથી આવેલા Omicron વેરિયન્ટે પણ સરકારની ચિંતા વધારી દીધી છે. આ સમયે, આ વાયરસ ધીમે ધીમે દેશમાં પોતાના પગ ફેલાવી રહ્યો છે. દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના કેસની સંખ્યા વધીને ચાર થઈ ગઈ છે. શનિવારે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં એક-એક વ્યક્તિને કોરોનાના આ નવા પ્રકારના વેરિયન્ટનો ચેપ લાગ્યો હોવાની સત્તાવાર રીતે પુષ્ટિ થઈ હતી. જો કે, તેનાથી બચવાની એકમાત્ર સારવાર કોરોના રસીકરણ કહેવામાં આવી રહી છે. હાલમાં, દેશમાં રસીકરણની સંખ્યા 1,227,61,83,065 પર પહોંચી ગઈ છે. લોકોમાં રસીકરણ અંગે સતત જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ