સાવધાન ! જાન્યુઆરીમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, ફેબ્રુઆરીમાં એક દિવસમાં આવશે 1.5 લાખ કેસ !

|

Dec 05, 2021 | 12:15 PM

ઓમિક્રોન વેરિઅન્ટના ફેલાવાને રોકવા માટે શું પગલાં લઈ શકાય તે અંગે પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે કડક લોકડાઉનને બદલે સાવચેતી વધારવાની જરૂર છે. સરકારે નિયંત્રણો લાદવા જોઈએ અને કડક લોકડાઉન ટાળવું જોઈએ.

સાવધાન ! જાન્યુઆરીમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, ફેબ્રુઆરીમાં એક દિવસમાં આવશે 1.5 લાખ કેસ !
Corona Cases

Follow us on

દેશમાં કોરોના વાયરસના (Corona Virus) ‘ઓમિક્રોન’ વેરિઅન્ટના (Omicron) કેસમાં વધારો થયા બાદ હવે ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. IIT કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે દાવો કર્યો છે કે, દેશમાં કોવિડ-19ની ત્રીજી લહેર જાન્યુઆરી 2022માં શરૂ થઈ શકે છે. દક્ષિણ આફ્રિકા અને અન્ય દેશોના ડેટાનો અભ્યાસ કર્યા પછી, તેમણે કહ્યું કે ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ કરતા બમણી ઝડપથી ફેલાય છે, તેથી નિયંત્રણો લાદીને કેસની સંખ્યા ઘટાડી શકાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ઓમિક્રોનને ‘ચિંતાજનક વેરિઅન્ટ’ તરીકે વર્ગીકૃત કર્યું છે.

પ્રોફેસર અગ્રવાલે એમ પણ કહ્યું કે, ફેબ્રુઆરી સુધીમાં તે તેની ટોચે પહોંચે તેવી શક્યતા છે અને આ સમય દરમિયાન દૈનિક કેસ 1.5 લાખ સુધી જઈ શકે છે. તેણે દાવો કર્યો હતો કે, ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant) થોડા મહિના પહેલા જ દક્ષિણ આફ્રિકામાં આવ્યું હતું, પરંતુ તે ધીમે ધીમે ફેલાઈ રહ્યું હતું. તેમણે કહ્યું, તેની પાછળનું કારણ એ હતું કે ત્યાંના 80 ટકાથી વધુ લોકોએ કોવિડ સામે કુદરતી રોગપ્રતિકારક શક્તિ વિકસાવી છે. એટલે કે આ લોકો કોવિડ-19થી સંક્રમિત થવાથી સાજા થઈ ગયા છે.

લોકડાઉનના બદલે સાવધાની વધારવાની જરૂર – પ્રોફેસર અગ્રવાલ
કોવિડની બીજી લહેર દરમિયાન, ભારતમાં ઘણા કેસ (Corona Cases) એવા પણ આવ્યા હતા કે લોકો ફરીથી સંક્રમિત થયા છે. ઓમિક્રોન વેરિઅન્ટ્સથી ફરીથી ચેપ લાગવાના જોખમો વિશે, તેમણે કહ્યું, અત્યાર સુધી માત્ર એક અભ્યાસ આવ્યો છે, જે મુજબ છેલ્લા ત્રણ મહિનામાં ફરીથી ચેપનો દર 3 ગણો વધી ગયો છે. જોકે તેના આંકડા પણ ઘણા ઓછા છે. દક્ષિણ આફ્રિકામાં, ચેપગ્રસ્ત લોકોમાંથી માત્ર 1 ટકા લોકોને ફરીથી ચેપ લાગ્યો હતો.

સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો

ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટના ફેલાવાને રોકવા માટે શું પગલાં લઈ શકાય તે અંગે પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે કડક લોકડાઉનને (Lockdown) બદલે સાવચેતી વધારવાની જરૂર છે. તેમણે કહ્યું, વધુ ભીડવાળા વિસ્તારોમાં લોકડાઉન કરો. સરકારે નિયંત્રણો લાદવા જોઈએ અને કડક લોકડાઉન ટાળવું જોઈએ.

શનિવારે ઓમિક્રોન વેરિઅન્ટના વધુ બે કેસની પુષ્ટિ થઈ
શનિવારે દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના બે નવા કેસ નોંધાયા હતા. ગુજરાતના 72 વર્ષીય વ્યક્તિ બાદ દેશમાં અત્યાર સુધીમાં આ પ્રકારના કુલ 4 કેસ નોંધાયા છે, જ્યારે મહારાષ્ટ્રના 33 વર્ષીય પુરુષને ઓમિક્રોનથી ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. અગાઉ, કર્ણાટકમાં, બે લોકો વાયરસના આ પ્રકારથી સંક્રમિત જોવા મળ્યા હતા.

 

આ પણ વાંચો : Coronavirus Cases Today: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8,895 નવા કેસ સાથે 2796ના મોત

આ પણ વાંચો : Cyclone JAWAD: બંગાળમાં ચક્રવાત ‘જવાદ’ની અસર, રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળો છવાયા, આજે દિવસભર વરસાદની શક્યતા

Next Article