Corona Vaccination: દેશભરમાં આજે 68 લાખ લોકોને આપવામાં આવી કોરોનાની વેક્સિન, કુલ કવરેજ 82 કરોડને પાર

|

Sep 21, 2021 | 11:56 PM

આરોગ્ય મંત્રાલય અનુસાર મંગળવારે સાંજે 7 વાગ્યા સુધી 68,26,132 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી, ત્યારબાદ રસીકરણની કુલ સંખ્યા 82,57,80,128 પર પહોંચી ગઈ છે.

Corona Vaccination: દેશભરમાં આજે 68 લાખ લોકોને આપવામાં આવી કોરોનાની વેક્સિન, કુલ કવરેજ 82 કરોડને પાર
File Image

Follow us on

દેશમાં કોરોનાની ત્રીજી લહેરની (Corona Third Wave) આગાહીને જોતા રસીકરણ  અભિયાન ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ દરમિયાન દેશમાં અત્યાર સુધીમાં 82 કરોડથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મંગળવારે 68 લાખથી વધુ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ કોરોના રસીકરણનો કુલ આંકડો 82 કરોડને પાર કરી ગયો છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આરોગ્ય મંત્રાલય અનુસાર, મંગળવારે સાંજે 7 વાગ્યા સુધી 68,26,132 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી, ત્યારબાદ રસીકરણનો કુલ આંકડો 82,57,80,128 પર પહોંચી ગયો છે.

 

દેશમાં કોરોનાની સ્થિતિ

દેશમાં કોરોનાના આંકડાંઓની વાત કરીએ તો ભારતમાં કોરોના સંક્રમણના 26,115 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ દેશમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા હવે વધીને 3,35,04,534 થઈ ગઈ છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 252 દર્દીઓના મૃત્યુ પછી કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો 4,45,385 પર પહોંચી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોના વાઈરસના સક્રિય દર્દીઓ હવે ઘટીને 3.09 લાખ થઈ ગયા છે.

 

 

આરોગ્ય મંત્રાલયે માહિતી આપી કે છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં 34,469 લોકો ચેપથી સાજા થયા છે, ત્યારબાદ કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 3,27,49,574 થઈ ગઈ છે. જ્યારે સક્રિય કેસોની સંખ્યા હાલમાં 3,09,575 છે, જે કુલ કેસોના 0.92 ટકા છે અને આ આંકડો 184 દિવસમાં સૌથી ઓછો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.85 ટકા છે, જે છેલ્લા 22 દિવસથી 3 ટકાથી ઓછો છે. જ્યારે વીકલી પોઝિટિવિટી રેટ 2.08 ટકા છે, જે 88 દિવસથી 3 ટકાથી નીચે રહ્યો છે.

 

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં રિકવરી રેટ હવે 97.75 ટકા પર પહોંચી ગયો છે, જે માર્ચ પછી સૌથી વધુ છે. તે જ સમયે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે (ICMR) કહ્યું કે ભારતમાં સોમવારે કોરોના વાઈરસ માટે 14,13,951 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ દેશમાં સેમ્પલ ટેસ્ટીંગનો આંકડો 55,50,35,717 પર પહોંચી ગયો છે. રસીકરણના આંકડાઓની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાઈરસ રસીના 96,46,778 ડોઝ લગાવવામાં આવ્યા છે, ત્યારબાદ રસીકરણનો કુલ આંકડો 81,85,13,827 થઈ ગયો છે.

 

આ પણ વાંચો :  મહારાષ્ટ્રના રાજ્યપાલે મુંબઈ સાકીનાકા બળાત્કાર મુદ્દે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આપ્યો એવો જવાબ કે દેશભરમાં થઈ ચર્ચા

 

Published On - 11:55 pm, Tue, 21 September 21

Next Article