Corona Update : કોરોનાના કેસમાં ફરી વધારો, 2 લાખ 71 હજારથી વધુ નવા કેસ, 24 કલાકમાં 314 મોત, ઓમિક્રોનના કેસ 7743

|

Jan 16, 2022 | 11:01 AM

Coronavirus Update: દેશમાં કોવિડ 19 ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,71,202 કેસ નોંધાયા છે. આ દરમિયાન 314 લોકોના મોત થયા છે. દેશમાં હાલ કોરોનાના 15,50,377 સક્રિય કેસ છે.

Corona Update : કોરોનાના કેસમાં ફરી વધારો, 2 લાખ 71 હજારથી વધુ નવા કેસ, 24 કલાકમાં 314 મોત, ઓમિક્રોનના કેસ 7743
Corona Cases In India - Symbolic Image

Follow us on

Covid 19 Cases દેશમાં કોરોના વાયરસના (Corona virus) 2,71,202 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 314 લોકોના મોત થયા છે. કોરોના એક્ટિવ કેસની (Corona’s active case) સંખ્યા 15 લાખને વટાવી ગઈ છે. હાલમાં દેશમાં કોવિડ 19ના કોરોનાના કુલ 15,50,377 સક્રિય કેસ છે. 24 કલાકમાં 1,38,331 દર્દીઓ સાજા પણ થયા છે. દેશમાં ચેપનો દર વધીને 16.28% થઈ ગયો છે. ગઈકાલથી અત્યાર સુધીમાં 2369 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ ઓમિક્રોન વેરિઅન્ટની (Omicron variant) વાત કરીએ તો તેના દર્દીઓ વધીને 7743 થઈ ગયા છે.

ગઈકાલ શનિવારે 2 લાખ 68 હજાર 933 નવા કેસ સામે આવ્યા હતા. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 43 હજાર 211 નવા કેસ નોંધાયા છે, જ્યારે 23 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના નવા કેસોમાંથી 16.7 % કેસ એકલા મહારાષ્ટ્રમાં છે, જેમાં ડેલ્ટા વેરિઅન્ટના દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે, જ્યારે 32 ટકા દર્દીઓ ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા છે. મુંબઈમાં કોરોનાના 10,661 નવા કેસ નોંધાયા છે અને 11 લોકોના મોત થયા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

શનિવારે દિલ્હીમાં કોરોના ચેપના નવા કેસમાં ઘટાડો થયો છે. શનિવારે દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપના 20,718 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 30 લોકોના મોત પણ થયા છે. નવા આંકડા સાથે, દિલ્હીમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધીને 93,407 થઈ ગઈ છે. હકારાત્મકતા દર 30.64 છે. દિલ્લીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે છેલ્લા પાંચ-છ દિવસથી હોસ્પિટલોમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા વધી રહી નથી. દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેર ટોચ પર છે અને હવે કેસ ઘટવા લાગશે. દિલ્હીમાં આજે રવિવારે પણ કોરોના કર્ફ્યુ ચાલુ છે, જોકે મેટ્રો ગયા વખતની જેમ ચાલુ રહેશે.

આ પણ વાંચોઃ

કોરોના રસીકરણ મહાભિયાનને એક વર્ષ પૂર્ણ, 70 % વસ્તી એક વર્ષમાં થઇ ફૂલી વેક્સીનેટેડ, તો 30 કરોડ બાળકોને મળ્યો પહેલો ડોઝ

આ પણ વાંચોઃ

Corona ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવા જઈ રહ્યા છો? પહેલા જાણી લો આ નવો નિયમ નહિતર કંપનીઓ કરી શકે છે ઊંચા હાથ

Published On - 10:59 am, Sun, 16 January 22

Next Article