સોનિયા ગાંધીએ પક્ષના નેતાઓને આહ્વાન કર્યું, અનુશાસન અને એકતા દાખવવી પડશે, ભાજપ પર સાધ્યું નિશાન

|

Oct 26, 2021 | 4:33 PM

બેઠકમાં સભ્યપદ અભિયાન, મોંઘવારી મુદ્દે શરૂ થનાર જનજાગૃતિ અભિયાન અને આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

સોનિયા ગાંધીએ પક્ષના નેતાઓને આહ્વાન કર્યું, અનુશાસન અને એકતા દાખવવી પડશે, ભાજપ પર સાધ્યું નિશાન
Sonia Gandhi

Follow us on

કોંગ્રેસ (Congress) પાર્ટીના મહાસચિવો અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખોની બેઠકમાં પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Sonia Gandhi) કહ્યું હતું કે કોંગ્રેસ દેશને લગતા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર રોજ નિવેદનો આપે છે, પરંતુ મારો અનુભવ છે કે તે પાયાના કાર્યકરો સુધી પહોંચતું નથી. હું નીતિ વિષયક મુદ્દાઓ પર રાજ્ય સ્તરના નેતાઓમાં વૈચારિક સ્પષ્ટતા અને એકતાનો અભાવ જોઉં છું. તેમણે કહ્યું કે આપણે ભાજપ-આરએસએસની દૂષિત વિચારધારાનો સામનો કરવો પડશે. આપણે શિસ્ત અને એકતા દાખવવી પડશે.

બેઠકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને નવજોત સિંહ સિદ્ધુ એઆઈસીસી મુખ્યાલય પહોંચ્યા. આ બેઠકમાં સભ્યપદ અભિયાન, મોંઘવારી મુદ્દે શરૂ થનાર જનજાગૃતિ અભિયાન અને આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ બેઠકમાં લોકસભા સાંસદ અધીર રંજન ચૌધરી અને નવજોત સિંહ સિદ્ધુ પણ હાજર હતા.

સભ્યપદ અભિયાન બે અઠવાડિયા સુધી ચાલશે
16 ઓક્ટોબરે યોજાયેલી કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં સંગઠનાત્મક ચૂંટણીનો કાર્યક્રમ નક્કી કરવા સાથે 1 નવેમ્બરથી કોંગ્રેસ સદસ્યતા અભિયાન ચલાવશે, જે આવતા વર્ષે 31 માર્ચ સુધી ચાલુ રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે 14 થી 29 નવેમ્બર દરમિયાન કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય સ્તરે મોંઘવારી મુદ્દે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આવતા વર્ષે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં યુપી, પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ પાંચ રાજ્યોમાંથી પંજાબમાં કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસ ફરીથી રાજ્યની સત્તા કબજે કરવાનો પ્રયાસ કરશે. ગત દિવસોમાં પંજાબ કોંગ્રેસમાં જોરદાર રાજકીય હંગામો થયો હતો, જેના કારણે વિપક્ષને નિશાન સાધવાની તક મળી હતી. પંજાબ કોંગ્રેસ અને ત્યાંની સરકારમાં થયેલા ફેરફારોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતાં સોનિયાએ કહ્યું હતું કે, આગામી મહિનાઓમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ થવા જઈ રહી છે. આ રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને નેતાઓ કમર કસી રહ્યા છે. અમારું ચૂંટણી પ્રચાર નક્કર નીતિઓ અને કાર્યક્રમો પર આધારિત હોવું જોઈએ જે સમાજના તમામ વર્ગો સાથે ચર્ચા કર્યા પછી બહાર આવ્યા હોય. તમારા માટે અને આપણા બધા માટે મહત્વની બાબત એ છે કે સંગઠન મજબૂત છે. તે વ્યક્તિગત આકાંક્ષાઓથી ઉપર હોવું જોઈએ. તેમાં સામૂહિક અને વ્યક્તિગત સફળતા રહેલી છે.

 

આ પણ વાંચો : સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થશે, વિપક્ષ આ મુદ્દાઓ પર સરકારને ઘેરી શકે છે

આ પણ વાંચો : પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજનામાં મળશે 4 હજાર, આ ફેક યોજનાના ખોટા મેસેજથી રહેજો સાવધાન

Published On - 4:32 pm, Tue, 26 October 21

Next Article