Congress President Election: થરૂર કે ખડગે… આજે થશે મતદાન, નવી પ્રક્રિયાને અનુસરીને કરાશે મતદાન

|

Oct 17, 2022 | 6:54 AM

હવે પ્રતિનિધિએ મતદાન (Voting)કરતી વખતે 1 ને બદલે A પર ટિક કરવાનું રહેશે. ચૂંટણીના એક દિવસ પહેલા રવિવારે આ ફેરફાર કરવામાં આવ્યો હતો. સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. મતગણતરી 19 ઓક્ટોબરે થશે.

Congress President Election: થરૂર કે ખડગે… આજે થશે મતદાન, નવી પ્રક્રિયાને અનુસરીને કરાશે મતદાન
Congress President Election

Follow us on

કોંગ્રેસ (Congress)પાર્ટીને 22 વર્ષ બાદ તેનો બિન-ગાંધી અધ્યક્ષ મળવા જઈ રહ્યો છે. આ માટે સોમવારે યોજાનાર મતદાનની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. દેશભરમાં 40 કેન્દ્રો પર 68 બૂથ બનાવવામાં આવ્યા છે. અહીં સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ (State Congress Committee) ના 9,000 થી વધુ પ્રતિનિધિઓ ગુપ્ત મતદાન દ્વારા પક્ષના નવા અધ્યક્ષની પસંદગી કરશે. કોંગ્રેસના 137 વર્ષના ઈતિહાસમાં છઠ્ઠી વખત પ્રમુખ પદ માટે ચૂંટણી થઈ રહી છે. મતગણતરી 19 ઓક્ટોબરે થશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂર મેદાનમાં છે.

જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા દિલ્હીમાં AICC હેડક્વાર્ટરમાં મતદાન કરે તેવી શક્યતા છે, રાહુલ ગાંધી કર્ણાટકમાં બેલ્લારીમાં સાંગનાકલ્લુ ખાતે ભારત જોડો યાત્રા કેમ્પ સાઇટ પર મતદાનમાં ભાગ લેશે. તેમની સાથે લગભગ 40 PCC પ્રતિનિધિઓ પણ મતદાન કરશે જેઓ યાત્રામાં સામેલ છે. ગાંધી પરિવાર સાથે તેમની નિકટતા અને અનેક વરિષ્ઠ નેતાઓના સમર્થનને કારણે ખડગેને પાર્ટી અધ્યક્ષ પદના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. જોકે, થરૂર પોતે પણ પાર્ટીમાં બદલાવ લાવવા માટેના એક મજબૂત ઉમેદવાર તરીકે પોતાને રજૂ કરી રહ્યા છે.

બીજી તરફ ચૂંટણીના એક દિવસ પહેલા મતદાન પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે પ્રતિનિધિએ મતદાન કરતી વખતે 1 ને બદલે A પર ટિક કરવાનું રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણીના એક દિવસ પહેલા રવિવારે આ ફેરફાર કરવામાં આવ્યો છે. વાસ્તવમાં, શશિ થરૂરની ટીમે ઉમેદવારના નામની આગળ 1 લખવાનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે તેનાથી ભ્રમ પેદા થઈ શકે છે, ત્યારબાદ કેન્દ્રીય ચૂંટણી સત્તામંડળે તેમાં ફેરફાર કર્યો અને મતદારોને પસંદગીના નામની સામે ટિક માર્ક લગાવવા કહ્યું.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

પ્રમુખ પદ માટેના ચૂંટણી પ્રચારમાં તફાવત સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. જ્યારે પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ, રાજ્ય કોંગ્રેસ એકમના પ્રમુખો અને ટોચના નેતાઓ ખડગેના પ્રચાર દરમિયાન રાજ્ય મુખ્યાલયમાં તેમનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા, રાજ્ય કોંગ્રેસ સમિતિઓના મોટાભાગના યુવા પ્રતિનિધિઓ થરૂરનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન પ્રદેશ કોંગ્રેસના પ્રમુખો ગેરહાજર રહ્યા હતા. થરૂર તેમના પ્રચાર દરમિયાન ભારપૂર્વક કહેતા હતા કે તેઓ પરિવર્તનના ઉમેદવાર છે, જ્યારે ખડગે રૂઢિચુસ્ત ઉમેદવાર છે.

ખડગેએ તેમના અભિયાનમાં તેમના અનુભવો પણ શેર કર્યા છે જે છેલ્લા કેટલાક દાયકાઓમાં સંસ્થા માટે કામ કરતી વખતે તેમની સામે આવ્યા હતા. બંને નેતાઓએ એ વાત પર ભાર મૂક્યો છે કે ગાંધી પરિવારના સભ્યોનું પાર્ટીમાં વિશેષ સ્થાન છે. જ્યારે ખડગેએ કહ્યું કે તેઓ તેમના માર્ગદર્શન અને સૂચનો લેશે, થરૂરે કહ્યું કે કોઈ પણ કોંગ્રેસ અધ્યક્ષ ગાંધી પરિવારથી દૂર રહીને કામ કરી શકે નહીં કારણ કે તેમનો ડીએનએ પાર્ટીના લોહીમાં છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે છેલ્લી ચૂંટણી 2000માં યોજાઈ હતી ત્યારે જિતેન્દ્ર પ્રસાદને સોનિયા ગાંધીના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

Published On - 6:54 am, Mon, 17 October 22

Next Article