PM મોદીએ કોંગ્રેસના મેનિફેસ્ટો પર કર્યા આકરા પ્રહારો, કહ્યું કોંગ્રેસે હનુમાનજીને તાળામાં બંધ કરવાનો કર્યો નિર્ણય

જનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને કહ્યું કે કોંગ્રેસે હનુમાનજીને તાળામાં બંધ કરવાનો સંકલ્પ કર્યો તે દુર્ભાગ્યપૂર્ણ છે. અગાઉ શ્રી રામને તાળામાં બંધ કર્યા હતા.

PM મોદીએ કોંગ્રેસના મેનિફેસ્ટો પર કર્યા આકરા પ્રહારો,  કહ્યું કોંગ્રેસે હનુમાનજીને તાળામાં બંધ કરવાનો કર્યો નિર્ણય
Pm Narendra Modi
| Edited By: | Updated on: May 02, 2023 | 5:44 PM

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર છેલ્લા રાઉન્ડમાં છે. દરમિયાન હનુમાનજીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળ અને પીએફઆઈ સહિત નફરત ફેલાવનારા વ્યક્તિઓ અને સંગઠનો સામે કડક કાર્યવાહીનું વચન આપ્યું છે. તેના પર ભાજપે આ સમગ્ર મામલાને હનુમાનજી સાથે જોડીને કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. મંગળવારે જનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને કહ્યું કે કોંગ્રેસે હનુમાનજીને તાળામાં બંધ કરવાનો સંકલ્પ કર્યો તે દુર્ભાગ્યપૂર્ણ છે. અગાઉ શ્રી રામને તાળામાં બંધ કર્યા હતા.

આ પણ વાંચો: Gujarati Video: હાઈકોર્ટના આદેશ બાદ રાજકોટમાં બાલાજી મંદિર વિવાદ મામલે ડેપ્યુટી કલેક્ટરે બંને પક્ષના નિવેદન નોંધ્યા, જવાબ લેખિતમાં આપવા આદેશ

આપને જણાવી દઈએ કે કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન છે. ભાજપે સોમવારે તેનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો, તેના એક દિવસ પછી કોંગ્રેસે મંગળવારે બેંગલુરુમાં તેનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો. કૉંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગે, કર્ણાટક કૉંગ્રેસના વડા ડીકે શિવકુમાર, કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ ડૉ. પરમેશ્વરજીએ ઘોષણા રજૂ કરી હતી.

કોંગ્રેસે તેના ઢંઢેરામાં ‘સત્તા પર આવ્યાના એક વર્ષમાં ભાજપ સરકાર દ્વારા પસાર કરાયેલા તમામ અન્યાયી કાયદાઓ અને જનવિરોધી કાયદાઓ રદ કરવાનું વચન આપ્યું હતું’ અને બજરંગ દળ અને PFI સહિત નફરત ફેલાવતી વ્યક્તિઓ અને સંગઠનો સામે કડક કાર્યવાહીનું વચન આપ્યું હતું.

‘કોંગ્રેસને હવે હનુમાનજીથી તકલીફ છે’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર કટાક્ષ કરતા કહ્યું કે આજે હનુમાનજીની આ પવિત્ર ભૂમિને નમન કરવું મારૂ સૌભાગ્ય છે, અને દુર્ભાગ્ય જુઓ આજે જ્યારે હું અહીં હનુમાનજીને નમન કરવા આવ્યો છું, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ તેના મેનિફેસ્ટોમાં બજરંગબલીને તાળાબંધી કરવાનો નિર્ણય લીધો છે. પહેલા શ્રી રામને તાળાબંધી કરવામાં આવ્યા હતા અને હવે તેમણે જય બજરંગબલી બોલનારને તાળાબંધી કરવાનો સંકલ્પ લીધો છે. આ દેશની કમનસીબી છે કે કોંગ્રેસ પાર્ટીને ભગવાન શ્રી રામથી પણ તકલીફ થાય છે અને જય બજરંગબલી બોલનારાઓ સાથે પણ તકલીફ છે.

‘કર્ણાટકને દેશમાં નંબર વન બનાવીશું’

ભાજપ કર્ણાટકને દેશનું નંબર વન રાજ્ય બનાવવા માટે મક્કમ છે. હું ભગવાન હનુમાનજીના ચરણોમાં માથું નમાવીને આ સંકલ્પની પૂર્તિની કામના કરું છું.

‘જય શ્રી રામના નારાને કોંગ્રેસ સાંપ્રદાયિક માને છે’

પીએમ મોદીના આ નિવેદન બાદ ભાજપે કોંગ્રેસ પર પ્રહારો શરૂ કર્યા છે. ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યાએ ટ્વિટર પર પ્રોફાઇલ પિક્ચર બદલ્યું છે અને લખ્યું છે – હું કન્નડીગા છું. મારી ભૂમિ હનુમાનના જન્મની ભૂમિ છે. હું બજરંગી છું. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે 85% કમિશન અને 100% હિંદુ વિરોધી..આ કોંગ્રેસની વ્યાખ્યા છે.

આજે કોંગ્રેસે તેનો જુઠ્ઠાણાનો ઢંઢેરો જાહેર કર્યો. આજે હનુમાન જન્મભૂમિમાં કોંગ્રેસનો જે રીતે પતન થયો છે તે આપણે જોયું છે. કોંગ્રેસ જય શ્રી રામના નારાઓને સાંપ્રદાયિક રૂપે જુએ છે. હવે જે બોલશે જય બજરંગબલી, તેને જેલમાં ધકેલી દેવાશે! આ કોંગ્રેસના અશુભ વિચારો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 5:29 pm, Tue, 2 May 23