
કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રતિનિધિમંડળે, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા સાથે મુલાકાત કરીને ત્રણ મુખ્ય માંગણીઓ સાથેનું મેમોરેન્ડમ સુપરત કર્યું છે. બેઠક દરમિયાન સંગઠને શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની નિઃશરત મુક્તિ અને NEET 2026 પેપર લીકથી પ્રભાવિત વિદ્યાર્થીઓના પરિવારોને વળતર આપવાની માંગ કરી હતી.
બેઠક બાદ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા તરફથી CJPને ચાલુ ધરણા અને વિરોધ પ્રદર્શન સમાપ્ત કરવાની અપીલ કરવામાં આવી હતી. જોકે, સંગઠને સ્પષ્ટ કર્યું છે કે તેમની માંગણીઓ પર સંતોષકારક નિર્ણય ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
CJPના જણાવ્યા મુજબ, 6 જૂનથી દેશભરમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા હતા, જે બાદ 20 જૂનથી દિલ્હીના જંતર-મંતર ખાતે અનિશ્ચિત મુદતના ધરણા શરૂ થયું હતું. આ વિરોધમાં સામાજિક કાર્યકર સોનમ વાંગચુક પણ જોડાયા હતા. તેમણે 28 જૂનથી આમરણાંત ઉપવાસ શરૂ કર્યો હતો, જે 20 જુલાઈ સુધી યથાવત્ હોવાનું સંગઠનનું કહેવું છે.
મેમોરેન્ડમમાં CJPએ NEET 2026 પેપર લીક મામલે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સંગઠનનો દાવો છે કે આ ઘટનાના કારણે 21 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. ઉપરાંત CBSE ધોરણ-12ના પોર્ટલમાં સર્જાયેલી ટેક્નિકલ સમસ્યાઓ અને CUET પરીક્ષામાં થયેલા વિલંબ જેવા મુદ્દાઓ પર પણ શિક્ષણ મંત્રાલયે અસરકારક પગલાં લીધા ન હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
आज सुबह पहली बार प्रदर्शनकारियों की ओर से सरकार के साथ बातचीत करने का प्रस्ताव आया और सुबह 11:50 AM से ही हमारी बातचीत जारी है।
सौहार्दपूर्ण वातावरण में मुलाकात हुई। उनके डेलीगेशन के साथ विस्तार से पहले मौखिक चर्चा हुई और उनके द्वारा लगभग 4 बजे मुझे लिखित याचिका दी गई।
मैंने… pic.twitter.com/HLCl20RBSp
— Jagat Prakash Nadda (@JPNadda) July 20, 2026
CJPના નેતા સૌરવ દાસે જણાવ્યું કે તેઓ અને આશુતોષ રંકાએ બપોરથી જેપી નડ્ડાના નિવાસસ્થાને રહીને પોતાની માંગણીઓ રજૂ કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, મંત્રીએ આ મુદ્દાઓ પર યોગ્ય સ્તરે ચર્ચા કરવાની ખાતરી આપી છે, પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ અથવા લેખિત પ્રતિબદ્ધતા આપવામાં આવી નથી.
સૌરવ દાસે વધુમાં કહ્યું કે જ્યાં સુધી સરકાર તેમની માંગણીઓ પર નક્કર નિર્ણય નહીં લે, ત્યાં સુધી શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. સંગઠનનું કહેવું છે કે વિદ્યાર્થીઓ અને યુવાનોના હિતોને ધ્યાનમાં રાખીને આ લડત આગળ પણ યથાવત્ રાખવામાં આવશે.
CJPના પ્રદર્શનકારીઓ સંસદ ભવન પાસે પહોંચ્યા, પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા