વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન પ્લેન ક્રેશ પર દુ:ખ વ્યક્ત કર્યું, ચીની રાજદૂતે કહ્યું- તમારી પ્રાર્થના અને સહાનુભૂતિ બદલ આભાર

|

Mar 21, 2022 | 10:43 PM

એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વિમાન ક્રેશ થયું તેમાં કોઈ વિદેશી નાગરિક સવાર નહોતો. આ વિમાનમાં કુલ 132 લોકો હતા, જેમાં 123 મુસાફરો અને નવ ક્રૂ મેમ્બર હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન પ્લેન ક્રેશ પર દુ:ખ વ્યક્ત કર્યું, ચીની રાજદૂતે કહ્યું- તમારી પ્રાર્થના અને સહાનુભૂતિ બદલ આભાર
China Plane Crash

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) સોમવારે ચીનના ગુઆંગશીમાં વિમાન દુર્ઘટના (China Plane Crash) પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ ટ્વિટ કર્યું, ‘ચીનના ગુઆંગસીમાં પેસેન્જર પ્લેન MU5735ના ક્રેશના સમાચાર સાંભળીને આઘાત અને દુ:ખ થયું.’ તેમણે કહ્યું, ‘દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો અને તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના.’ રાજદૂત સુન વિડોંગે પીએમ મોદીનો આભાર માન્યો. ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સ’નું ‘બોઇંગ 737’ વિમાન તેંગશિયાન કાઉન્ટીના વુઝો શહેરમાં ક્રેશ થયું હતું, જેના કારણે આસપાસના પર્વતીય વિસ્તારમાં આગ લાગી હતી. વિમાનમાં 132 લોકો સવાર હતા.

પીએમ મોદીનો આભાર માનતા ચીનના રાજદૂત સુન વિડોંગે ટ્વીટ કર્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય મિત્રોનો હવાઈ દુર્ઘટનામાં થયેલા નુકસાન માટે તમારી પ્રાર્થના અને સહાનુભૂતિ માટે આભાર. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તમામ બચાવ પ્રયાસો અને યોગ્ય નિરાકરણનો આદેશ આપ્યો છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

અમે પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને તેમના પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.’ વિમાન દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં આગની જ્વાળાઓ જોઈ શકાય છે.

વિમાન દુર્ઘટનાથી ‘આઘાત’: શી જિનપિંગ

રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે તેઓ સોમવારે વિમાન દુર્ઘટનાના સમાચાર સાંભળીને ‘આઘાતમાં’ છે. તેમણે બચાવ કામગીરીના આદેશ આપ્યા છે. સિન્હુઆના જણાવ્યા અનુસાર, દુર્ઘટના પછી તરત જ જાહેર કરાયેલા નિર્દેશોમાં જિનપિંગે કહ્યું કે કુનમિંગથી ગુઆનઝો જઈ રહેલા ‘ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સ’ના પ્લેન MU5735ના ક્રેશના સમાચાર સાંભળી તાત્કાલિક પગલાં લઈને તેમણે બચાવ કામગીરીનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે અકસ્માતનું કારણ જાણવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ઉડ્ડયન ક્ષેત્ર અને લોકોના જીવનની સલામતી માટે ઉડ્ડયન ક્ષેત્રની સુરક્ષામાં સુધારો કરવાની જરૂર છે.

પ્લેનમાં કોઈ વિદેશી નાગરિક સવાર નહોતો

બીજી તરફ, એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વિમાન ક્રેશ થયું તેમાં કોઈ વિદેશી નાગરિક સવાર નહોતો. આ વિમાનમાં કુલ 132 લોકો હતા, જેમાં 123 મુસાફરો અને નવ ક્રૂ મેમ્બર હતા. ચીનના સરકારી-સંચાલિત CGTN-TVએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ચાઇના મીડિયા ગ્રુપ (CMG) એ ‘ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સ’ પાસેથી મળેલી માહિતીના આધારે જણાવ્યું હતું કે ક્રેશ થયેલા બોઇંગ 737 એરક્રાફ્ટમાં કોઈ વિદેશી મુસાફરો નહોતા. કંપનીએ સીએમજીને કહ્યું કે તે વધુ પુષ્ટિ કરશે.

આ પણ વાંચો : Corona Virus: દેશમાં કોરોનાના કેસ દરરોજ ઘટી રહ્યા છે, કેન્દ્ર સરકારે કહ્યું- ઓમિક્રોનનો ખતરો હજુ સમાપ્ત થયો નથી

આ પણ વાંચો : Heat Wave: માર્ચ મહિનામાં જ મે મહિના જેવી ગરમી, દેશના અનેક રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીને પાર

Published On - 10:34 pm, Mon, 21 March 22

Next Article