ભારત-ચીન (India-China) વચ્ચે છેલ્લા 20 મહિનાથી ચાલી રહેલા મડાગાંઠ વચ્ચે ચીને હવે વધુ એક પગલું ભર્યું છે. LAC પાસે પહેલેથી જ 60,000 ડ્રેગન સૈનિકો છે. તે જ સમયે, ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તેના દળોની ઝડપી ગતિવિધિમાં મદદ કરવા માટે ઝડપથી તેના માળખાનું નિર્માણ કરી રહ્યું છે. મળતી માહિતી મુજબ, ભારત પર દબાણ બનાવવા માટે ચીનની સેના (Chinese Soldiers) પેંગોંગ ત્સો લેકના પોતાના ભાગમાં એક પુલ બનાવી રહી છે.
અહેવાલ મુજબ, ચીનના ક્ષેત્રમાં આવતા તળાવના એક ભાગ પર બનાવવામાં આવેલો આ પુલ તળાવની બંને બાજુઓને જોડે છે. તેનાથી ચીનને સૈનિકો અને ભારે હથિયારો ઝડપથી ખસેડવામાં મદદ મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીની સેનાએ ભારતીય સરહદ સુધી પહોંચવા માટે 200 કિમીનું અંતર કાપવું પડે છે. બ્રિજ બન્યા બાદ આ અંતર ઘટીને 40થી 50 કિલોમીટર થઈ જશે.
ગયા વર્ષે, ભારતીય સૈનિકો પેંગોંગ સરોવરના (Pangong Lake) દક્ષિણ કિનારે મુખ્ય કૈલાશ રેન્જમાં આગળ વધ્યા હતા, જેનાથી આ ક્ષેત્રમાં ચીની સેના પર એ પ્રારંભિક લીડ મેળી હતી. આ પુલના પૂર્ણ થવાથી, ચીન પાસે વિવાદિત વિસ્તારમાં વધારાના સૈનિકોને સામેલ કરવા માટે ઘણા માર્ગો હશે. તમને જણાવી દઈએ કે, 2020 થી ભારત અને ચીનના 50,000 થી વધુ સૈનિકો પૂર્વ લદ્દાખના દેપસાંગના મેદાનોથી ઉત્તરમાં અને આગળ દક્ષિણમાં ડેમચોક વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે.
બીજી તરફ સૂત્રોએ માહિતી આપતાં કહ્યું છે કે, ભારતીય સેના પણ ચીનની કોઈપણ હરકતોનો જવાબ આપવા માટે તૈયાર છે. એક તરફ, જ્યારે ભારત પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યું છે, ત્યારે પૂર્વી મોરચે રાષ્ટ્રીય રાઈફલ્સના આતંકવાદ વિરોધી યુનિફોર્મ ફોર્સને લદ્દાખમાં લાવવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું કે, ભારતીય પક્ષ ચીનના સૈનિકો સાથે માત્ર એક કે બે સ્થળો પર નજર રાખવાની સ્થિતિમાં છે કારણ કે મોટા ભાગના સ્થળોએ બંને સેનાઓ બફર ઝોન દ્વારા અલગ પડે છે. આ સ્થિતિમાં, બંને પક્ષો એકબીજાના સૈનિકોની હિલચાલ પર નજર રાખવા માટે બફર ઝોનમાં મોટી સંખ્યામાં સર્વેલન્સ ડ્રોન પણ તૈનાત કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે, ચીનના સૈનિકોને શિયાળાની તૈનાતી ખૂબ જ કઠોર લાગી રહી છે, કારણ કે તેઓ સૈનિકોને ખૂબ જ ઝડપથી આગળની સ્થિતિ પર ખસેડી રહ્યા છે.
આ પણ વાંચો : પહેલા જ દિવસે બાળકોના રસીકરણમાં ઝડપ આવી, 15-18 વર્ષના 37,84,212 બાળકોને કોરોનાની પ્રથમ રસી મળી
Published On - 11:03 pm, Mon, 3 January 22