PM Security Breach: PMની સુરક્ષાને લઈને ચન્ની સરકાર બેકફૂટ પર, પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી કરવાનું દબાણ

|

Jan 07, 2022 | 3:05 PM

ફિરોઝપુરમાં ભાજપની નિર્ધારિત રેલીમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરત ફરવા બદલ અફસોસ વ્યક્ત કરતાં રાજ્યના મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ સમગ્ર બાબતે સુરક્ષામાં કોઈ ચૂક હોવાનો ઇનકાર કર્યો હતો.

PM Security Breach: PMની સુરક્ષાને લઈને ચન્ની સરકાર બેકફૂટ પર, પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી કરવાનું દબાણ
CM Charanjit Singh Channi (File Image)

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) પંજાબ મુલાકાત (Punjab Visit) દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં થયેલી ચૂકની બાબત ભલે હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે, પરંતુ રાજ્યની ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi) સરકાર આ બાબતે સતત બેકફૂટ પર છે અને તેમની સરકારની વિશ્વસનીયતા બચાવવા માટે તેમના પર દબાણ વધી રહ્યું છે.

વિધાનસભા ચૂંટણી પહેલા વિશ્વસનીયતા બચાવવા માટે ચન્ની સરકાર પર ઘણું દબાણ છે. એવું માનવામાં આવે છે કે પંજાબ પોલીસના ઘણા અધિકારીઓ સામે કાર્યવાહી થઈ શકે છે. સરકારની વિશ્વસનીયતા બચાવવા માટે સીએમ ચન્ની પર પગલાં લેવાનું ઘણું દબાણ છે.

બુધવારે રાજ્યના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ ફિરોઝપુરમાં ભાજપની નિર્ધારિત રેલીમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરત ફરવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો અને સમગ્ર બાબતે સુરક્ષામાં કોઈ ચૂક હોવાનો ઈનકાર કર્યો હતો. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રિપોર્ટ માંગ્યો છે, તેથી બાબતની તપાસ ચોક્કસપણે કરવામાં આવશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

પીએમ મોદીની રેલી રદ કરવા અને પંજાબમાં સુરક્ષા અંગેના આરોપોના જવાબમાં મુખ્યમંત્રી ચન્નીએ કહ્યું, ‘મને અફસોસ છે કે વડાપ્રધાન મોદીએ ફિરોઝપુર જિલ્લાની મુલાકાત દરમિયાન પાછા ફરવું પડ્યું. અમે અમારા વડાપ્રધાનનું સન્માન કરીએ છીએ. જો પીએમની મુલાકાત દરમિયાન સુરક્ષામાં કોઈ ચૂક હશે તો અમે ચોક્કસપણે તેની તપાસ કરાવીશું. પરંતુ વડાપ્રધાનને કોઈ ખતરો નહોતો.

સીએમ ચન્નીએ સુરક્ષામાં ચૂક સ્વીકારી નથી

મુખ્યપ્રધાન ચન્નીએ કહ્યું હતું કે વડાપ્રધાનનું રોડ માર્ગે અચાનક પ્રસ્થાન થવું અને પ્રદર્શનકારીઓ દ્વારા આ માર્ગને અચાનક રોકવો એ સુરક્ષાની ચૂક નથી. આ ઘટનાથી વડાપ્રધાનને કોઈ ખતરો નહોતો. વડાપ્રધાન અને તેમની ટીમે પાછા ફરવાનો નિર્ણય લીધો હતો, જેના માટે અમે દિલગીર છીએ.

પંજાબ પોલીસ અને મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીનું કહેવું છે કે તેમને એ વાતની જાણ નહોતી કે મોગા રોડ પર પ્રદર્શનકારીઓ પહેલાથી જ હાજર હતા, જ્યાં PM નરેન્દ્ર મોદીનો કાફલો 20 મિનિટ સુધી ફસાયેલો હતો. જોકે પ્રદર્શનકારીઓ પીએમ મોદીની દરેક હિલચાલથી વાકેફ હતા, જ્યારે પંજાબ પોલીસને એ વાતની જાણ નહોતી કે ખેડૂતોએ ફ્લાયઓવરને રોકી દીધો હતો.

SCએ તપાસ સમિતિને સોમવાર સુધી કામ રોકવા કહ્યુ

વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂકની બાબતે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં જસ્ટિસ સૂર્યકાંત અને હિમા કોહલીનો સમાવેશ થાય છે. વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે ચીફ જસ્ટિસ એનવી રમન્નાની બેંચ સમક્ષ વડાપ્રધાનની સુરક્ષામાં ચૂકની બાબત ઉઠાવી હતી.

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર બંનેએ કમિટીની રચના કરી છે, કેમ બંનેને તપાસ કરવાની મંજૂરી નથી. ત્યારબાદ CJIએ કહ્યું કે રાજ્ય અને કેન્દ્રીય સમિતિઓએ તેમનું કામ બંધ કરી દેવું જોઈએ, અમે આ આદેશમાં નોંધી રહ્યાં નથી, પરંતુ બંને સમિતિઓને જાણ કરવી જોઈએ.

કેન્દ્ર અને પંજાબ સરકારની તપાસ સમિતિ હવે સોમવારની સુનાવણી સુધી પ્રક્રિયાને આગળ વધારશે નહીં. સુપ્રીમ કોર્ટે ચંદીગઢના ડીજી અને એનઆઈએના એક અધિકારીને નોડલ ઓફિસર બનાવ્યા છે. કોર્ટે કહ્યું કે અમે વડાપ્રધાનની સુરક્ષાને લઈને ગંભીર છીએ, રાજ્ય અને કેન્દ્રએ પોતાની કમિટી પર વિચાર કરવો જોઈએ.

આ પણ વાંચો –

કોરોનાથી હાહાકાર : પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી આજે PM મોદી સાથે કરશે વર્ચ્યુઅલ બેઠક

આ પણ વાંચો –

જમ્મૂ કાશ્મીરમાં 7 દિવસમાં 6 અથડામણ, સુરક્ષાદળોએ 6 પાકિસ્તાની સહિત 11 આતંકીઓને કર્યા ઠાર

Next Article