ઉત્તર પ્રદેશમાં ઝીકા વાયરસના કેસ વધતા સરકાર સતર્ક, ડોર ટુ ડોર તપાસના સરકારે આપ્યા આદેશ

ઉત્તરપ્રદેશમાં કાનપુર જિલ્લામાં ઝીકા વાયરસના કેસ સતત વધી રહ્યા છે. કાનપુરમાં અત્યાર સુધીમાં 66 લોકો ઝીકા વાયરસથી સંક્રમિત છે

ઉત્તર પ્રદેશમાં ઝીકા વાયરસના કેસ વધતા સરકાર સતર્ક, ડોર ટુ ડોર તપાસના સરકારે આપ્યા આદેશ
Zika Virus (File Pic)
| Edited By: | Updated on: Nov 05, 2021 | 2:01 PM

કોરોના (Covid 19) મહામારીમાંથી હજુ તો મુક્તિ મળી નથી ત્યાં ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)માં ઝીકા વાયરસે (Zika virus) પગ પેસારો કર્યો છે.કાનપુર જિલ્લામાં ઝીકા વાયરસના કેસ સતત વધી રહ્યા છે અને આ પછી હવે રાજ્ય સરકારે રાજ્યના તમામ છાવણી વિસ્તારોમાં ઝીકા વાયરસના ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે.

એરફોર્સના કર્મચારીઓમાં પ્રથમ કેસ
ઝીકા વાયરસ રાજ્યમાં સૌથી પહેલા એરફોર્સના કર્મચારીઓમાં જોવા મળ્યો હતો. રાજ્યના કાનપુરમાં વાયુસેનાના અભાવે રાજ્ય સરકાર વધુ સતર્ક થઈ ગઈ છે.સીએમ યોગી આદિત્યનાથની સૂચના બાદ હવે રાજ્યના તમામ છાવણી વિસ્તારોમાં ઝીકા વાયરસની તપાસ કરવામાં આવશે.

કાનપુરમાં તપાસ શરૂ થયા બાદ હવે ટીમો મેરઠ અને લખનઉ કેન્ટોનમેન્ટમાં ઝીકા વાયરસની તપાસ માટે ઘરે ઘરે જશે.રાજ્યના દસ છાવણી વિસ્તારોમાં દિવાળી પછી પરીક્ષણ ઝુંબેશ વધુ તેજ કરવામાં આવશે. બાદમાં ઝીકા વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખી રાજ્યના આરોગ્ય વિભાગને યોગ્ય પગલા લેવા સૂચના આપવામાં આવશે.

કાનપુરમાં અત્યાર સુધીમાં 66 દર્દીઓ
કાનપુર જિલ્લામાં અત્યાર સુધીમાં 66 લોકો ઝીકા વાયરસથી સંક્રમિત થયા છે. જેથી આરોગ્ય વિભાગ હવે એલર્ટ પર છે અને રાજ્ય સરકારની સૂચનાઓ પછી, હવે રાજ્યના તમામ 13 કેન્ટોનમેન્ટ બોર્ડ વિસ્તારો અને તેની આસપાસ રહેતા લોકોના ઝીકા વાયરસ માટે પરીક્ષણ કરવામાં આવશે.

ઉન્નાવ,હમીરપુરમાં પણ તપાસ અભિયાન
રાજ્ય સરકારના આ અભિયાન હેઠળ ટીમો ઘરે-ઘરે જઈને લોકોના સેમ્પલ લેશે અને તેનું પરીક્ષણ કરશે. ઉન્નાવ, કાનપુર દેહાત, ફતેહપુર અને હમીરપુર સહિત કાનપુર નજીકના જિલ્લાઓમાં પણ તપાસનું સઘન અભિયાન ચલાવવામાં આવશે. કાનપુર નજીકના શહેરોમાં વિશેષ તપાસ અભિયાન ચલાવવામાં આવશે.

રાજ્યના તબીબી અને આરોગ્યના મહાનિર્દેશક ડો.વેદવ્રત સિંહે જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં ઝીકા વાયરસના પાંચ હજારથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને સર્વેલન્સ પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. આ સાથે લખનૌ, કાનપુર, મેરઠ, વારાણસી, પ્રયાગરાજ, અયોધ્યા, શાહજહાંપુર, ઝાંસી, બબીના, સીતાપુર, મથુરા, બરેલી અને આગ્રામાં ઝીકા વાયરસના ટેસ્ટ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ અરવલ્લી જિલ્લામાં નવા વર્ષની અનોખી પરંપરા, જુઓ આ વીડિયો

આ પણ વાંચો: પાકિસ્તાનમાં પ્રજા ત્રાહીમામ, ઘી, લોટ અને દાળ પર 30 ટકા ડિસ્કાઉન્ટ છતા 150 રૂપિયે વેચાય છે પેટ્રોલ અને ખાંડ