
મોદી સરકાર હવે મનરેગા યોજનાનું નામ બદલવાની તૈયારીમાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મનરેગાને નવી ઓળખ આપીને તેને ‘પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના’ નામ આપવામાં આવી શકે છે. આ યોજનામાં ગ્રામીણ ગરીબોને દર વર્ષે 125 દિવસનું કામ સુનિશ્ચિત કરવામાં આવશે. સરકાર આ માટે ₹1.51 લાખ કરોડનું વિશાળ બજેટ ફાળવવાની તૈયારીમાં છે.
2005માં તત્કાલીન પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદા તરીકે શરૂ થયેલી આ યોજના બાદમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદા (મનરેગા) તરીકે ઓળખાઈ. દેશમાં 154 મિલિયન લોકો આ યોજનાથી વર્ષો સુધી રોજગાર અને આજીવિકા મેળવી ચૂક્યા છે.
હાલમાં મનરેગા હેઠળ લોકો માટે દર વર્ષે 100 દિવસનું કામ સુનિશ્ચિત કરવામાં આવે છે, પરંતુ નવા પ્રસ્તાવ બાદ આ મર્યાદા 125 દિવસ સુધી વધારી શકાય છે. આ નિર્ણયને કેબિનેટ બેઠકમાં મંજૂરી મળવાની શક્યતા છે.
કેબિનેટની બેઠકમાં પરમાણુ ઉર્જા ક્ષેત્ર સંબંધિત ‘શાંતિ બિલ 2025’ ને પણ મંજૂરી મળી શકે છે. આ બિલ પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં નવી નીતિ, રોકાણ અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે માર્ગ મોકળો કરશે.
કેબિનેટ બેઠકમાં વિકાસ ભારત શિક્ષા આધિસ્થાન બિલ 2025ને પણ લીલી ઝંડી મળી શકે છે. દેશની શિક્ષણ પ્રણાલીને ‘વિકસિત ભારત’ના વિઝન સાથે સાંકળવાનો તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગણાવવામાં આવી રહ્યો છે.
દેશ અને દુનિયાના વિશેષ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.
Published On - 3:54 pm, Fri, 12 December 25