
રામ મંદિરમાં દાનની ચોરીને લઈ ધમાલ મચી છે. એસઆઈટીની તપાસ બાદ એફઆઈઆર, ધરપકડ અને દરોડા હજુ ચાલું છે. આ બધા વિવાદો વચ્ચે મોટી સંખ્યામાં રામ ભક્તો રામ મંદિરના દર્શન કરવા માટે આવી રહ્યા છે પરંતુ લોકોના મનમાં દાનના પૈસાને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તો તમને જણાવી દઈએ કે, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા પછી રામ મંદિરમાં દાનની ગણતરી ચાલું છે. આ માટે સંપૂર્ણ રીતે પારદર્શિતા જોવા મળી રહી છે.
જાણકારી મુજબ ગોપાલજી રાવની દેખરેખમાં દાનની ગણતરી કરવામાં આવી રહી છે. ગોપાલજી રાવે દાન પેટ્ટી ખોલી અને વીડિયોગ્રાફી વચ્ચે પૈસા કાઢી કાઉન્ટિંગ રુમમાં લઈ જવામાં આવ્યા છે.
રામ મંદિરમાં હવે ટ્રેસ્ટના વિશેષ આમંત્રિત સભ્ય ગોપાલ જી રાવ પૈસાની દેખરેખ કરી રહ્યા છે. ચઢાવા ચોરી મામલે ગોપાલજી રાવ સાથે પણ SITએ પુછપરછ કરી હતી. સુત્રો પાસેથી મળતી જાણકારી મુજબ રવિવારના રોજ રામ મંદિરમાં ચઢાવા બાદ ગોપાલ રાવે દાન પેટી ખોલી અને તેની ગણતરી કરવા માટે વીડિયોગ્રાફી કરાવી હતી.
દાનપેટીમાંથી રોકડ ઉપાડવામાં આવે ત્યારથી ગણતરી પૂર્ણ થાય ત્યાં સુધી, સુરક્ષા પગલાં ઢીલ આપવામાં આવી નથી. સમગ્ર પરિસર અને ગણતરી ટેબલ હાઇ-ડેફિનેશન સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ છે. આ સાથે કેમેરાના બ્લાઈન્ડ સ્પોર્ટસ પણ સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવ્યા છે. જેનાથી કોઈ પણ કેમેરાની આડમાં નોટને આમ-તેમ ન કરી શકે. આ દરમિયાન ગોપાલ રાવની સાથે સાથે સંબંધિત બેન્કના વિશેષ રુપથી અધિકૃત કરેલા કર્મચારીઓ પણ હાજર રહ્યા છે.
પ્રાથમિક તપાસ બાદ, SIT મોટા પાયે તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, અને અંદાજે 79.85 લાખ વસૂલ કરવામાં આવ્યા છે. આ કેસ પ્રકાશમાં આવ્યા બાદ, ટ્રસ્ટની કામગીરી, FIR દાખલ કરવામાં વિલંબ અને વસૂલાત પ્રક્રિયા પર પ્રશ્નો ઉભા થયા છે.