
બેંગ્લુરુંથી આવી રહેલા એર ઈન્ડિયાના એક વિમાનની એન્જિનમાં આગ લાગવાના સંકેત મળતા જ દિલ્હી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ક્રૂએ તમામ માનક સંચાલન પ્રક્રિયાઓનું પાલન કર્યું હતું અને A320 વિમાનને દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતાર્યું હતું. તેણે કહ્યું હતું કે, બધા મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે.
ફ્લાઇટ AI2802 બેંગલુરુથી દિલ્હી આવી રહી હતી. ફ્લાઇટ દિલ્હી પહોંચતી વખતે, કોકપીટ ક્રૂને એક એન્જિનમાંથી ફાયર સિગ્નલ મળ્યો, એમ નિવેદનમાં જણાવાયું છે. સુત્રોના જણાવ્યા અનુસાર વિમાનમાં 160થી વધારે લોકો સવાર હતા. સુત્રોના જણાવ્યા અનુસાર વિમાનમાં 160થી વધારે લોકો સવાર હતા. જાણકારી અનુસાર એર ઈન્ડિયાએ કહ્યું કે,ઘટનાના કારણોની તાત્કાલિક તપાસ શરૂ કરી રહી છે.
એર ઈન્ડિયાની બેંગ્લુરું થી દિલ્હી આવી રહેલી ફ્લાઈટ એઆઈ 2802માં લેન્ડિંગ દરમિયાન ટેકનીકલ ગડબડીનો મામલો સામે આવ્યો છે.એર ઈન્ડિયાના અનુસાર વિમાન જ્યારે દિલ્હી એરપોર્ટ પર ઉતરવાનું હતુ. આ દરમિયાન પાયલોટને એન્જિનમાં આગ લાગવાના સંકેત મળ્યા હતા. ત્યારબાદ ક્રૂએ તાત્કાલિક સલામતી પ્રક્રિયાઓનું પાલન કર્યું અને વિમાનને દિલ્હીમાં સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું.
વિમાન કંપનીએ જણાવ્યું કે, આ ઘટનામાં તમામ યાત્રી અને ક્રુ સભ્યો સંપુર્ણ રીતે સુરક્ષિત છે. વિમાનની સુરક્ષિત લેન્ડિંગ બાદ મુસાફરોને સાવધાની સાથે બહાર કાઢવામાં આવ્યા છે. એરલાઈને કહ્યું કે, આ ઘટનાની તપાસ શરુ કરવામાં આવી છે અને વિમાનન અધિકારીઓની સાથે મળી સંપુર્ણ મામલની તપાસ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એન્જિનમાં આગ લાગવાની જાણ થતાં, પાઇલટ્સે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી અને જરૂરી સલામતીના પગલાં લીધા. વિમાન સુરક્ષિત રીતે ઉતરાણ કરતા એક મોટી દુર્ઘટના ટળી ગઈ. રિપોર્ટ અનુસાર ટેકનિકલ ખામી સૂચવે છે, જોકે ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા પછી જ જાહેર થશે.