દિલ્હીમાં એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. સૂત્રોના અહેવાલ અનુસાર સીબીઆઈ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. એવી માહિતી મળી છે કે અરવિંદ કેજરીવાલને CBI દ્વારા 16મી એપ્રિલે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
CBI summons Delhi CM and AAP national convenor Arvind Kejriwal on April 16 to question him in the excise policy case. pic.twitter.com/jlStNKhU2Y
— ANI (@ANI) April 14, 2023
આ મામલે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પહેલાથી જ તિહાર જેલમાં બંધ છે. CBI અને ED આ મામલે તેમની સતત પૂછપરછ કરી રહી છે. તે જ સમયે, હવે સીબીઆઈ આ મામલે કેટલાક મહત્વપૂર્ણ રહસ્યો ખોલવા માટે દિલ્હીના મુખ્યમંત્રીને મળી શકે છે. એટલા માટે સીબીઆઈ દ્વારા મુખ્યમંત્રીને સમન્સ મોકલવામાં આવ્યું છે.
આ પણ વાંચો: KCRએ ડૉ. ભીમરાવ આંબેડકરની 125 ફૂટની પ્રતિમાનું કર્યું અનાવરણ, પ્રકાશ આંબેડકર પણ રહ્યા હાજર
સીએમને દારૂ કૌભાંડ પર પૂછપરછ માટે બોલાવવા પર આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું કે તેઓ સાંજે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરશે. આ સાથે તેમણે ટ્વીટ કર્યું કે અત્યાચારનો ચોક્કસ અંત આવશે.
अत्याचार का अंत ज़रूर होगा।@ArvindKejriwal जी को CBI द्वारा समन किये जाने के मामले में शाम 6 बजे प्रेसवार्ता करूँगा।
— Sanjay Singh AAP (@SanjayAzadSln) April 14, 2023
સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પર દારૂ કૌભાંડનો આરોપ છે કે આબકારી વિભાગના એક અમલદારે કૌભાંડમાં પૂછપરછ દરમિયાન સીબીઆઈને નિવેદન આપ્યું હતું કે સિસોદિયાએ તેમને કેજરીવાલના ઘરે બોલાવ્યા હતા. તે દરમિયાન સત્યેન્દ્ર જૈન પણ ત્યાં હાજર હતા. આ બેઠકમાં મનીષ સિસોદિયાએ તેમને મૌખિક રીતે દારૂના વેપારીઓ માટે કમિશન વધારવા માટે ડ્રાફ્ટ તૈયાર કરવા કહ્યું હતું. સુત્રોનો દાવો છે કે દારૂની નીતિમાં થયેલા કૌભાંડના પૈસા આમ આદમી પાર્ટીએ ગોવાની ચૂંટણીમાં વાપર્યા હતા.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…
Published On - 5:30 pm, Fri, 14 April 23