અદાણી મુદ્દે ભાજપનો રાહુલ ગાંધી પર પલટવાર, કહ્યુ- પહેલા તમે હિસાબ આપો, 2G, 4G, જીજાજી બધું બહાર આવશે

રાહુલ ગાંધીના (Rahul Gandhi) આ ભાષણનો ભાજપના નેતાઓએ જોરદાર વિરોધ કર્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને લોકસભાના સભ્ય રવિશંકર પ્રસાદે કહ્યું છે કે, જેઓ પોતે અખંડ ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે તેઓ બીજા પર આરોપ કેવી રીતે લગાવી શકે?

અદાણી મુદ્દે ભાજપનો રાહુલ ગાંધી પર પલટવાર, કહ્યુ- પહેલા તમે હિસાબ આપો,  2G, 4G, જીજાજી બધું બહાર આવશે
Ravi Shankar Prasad
| Edited By: | Updated on: Feb 07, 2023 | 7:25 PM

મંગળવારે ગૃહની કાર્યવાહી દરમિયાન રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા થઈ રહી હતી. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં અદાણી ગ્રુપ પર ઉભા થઈ રહેલા પ્રશ્નોનો મુદ્દો ઉઠાવ્યો છે. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણી વચ્ચેની નિકટતાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે 2014માં કેન્દ્રમાં ભાજપની સરકાર બની ત્યારથી અદાણી ગ્રુપનું રોકાણ ઘણા ક્ષેત્રોમાં વધ્યું છે. તેમણે પીએમ મોદી પર અદાણી ગ્રુપને ફાયદો કરાવવાનો આરોપ લગાવ્યો છે. તેના પર વિપક્ષી નેતાઓએ રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું છે.

રાહુલ ગાંધી પર ભાજપના પ્રહાર

રાહુલ ગાંધીના આ ભાષણનો ભાજપના નેતાઓએ જોરદાર વિરોધ કર્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને લોકસભાના સભ્ય રવિશંકર પ્રસાદે કહ્યું છે કે જેઓ પોતે અખંડ ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે તેઓ બીજા પર આરોપ કેવી રીતે લગાવી શકે? કોંગ્રેસ પર સવાલો ઉઠાવતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, સુવિધા તો જમાઈને આપવામાં આવી હતી. તે હરિયાણા અને રાજસ્થાનની સરકારે આપી હતી. દેશના વિકાસનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ પીએમ મોદી પર પાયાવિહોણા અને બેદરકારી ભર્યા આરોપો લગાવ્યા છે.

આ પણ વાંચો : અદાણી મુદ્દે રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર, કિરણ રિજિજુએ કહ્યુ- તમે ગૃહમાં આ રીતે વાત ન કરી શકો

આ નિવેદન બાદ ભાજપ તરફથી ભારતના વિદેશ અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ પણ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, તમને કોણે ફંડ આપ્યું? ભ્રષ્ટાચારે જ! તમે ડિફેન્સ ડીલમાં ફસાઈ ગયા છો, તેનો હિસાબ કાઢો, પેપર આપો… 2G, 4G, જીજાજી બધું જ બહાર આવશે. આટલું જ નહીં, તેમણે અદાણી અને પીએમ મોદી વચ્ચેની નિકટતા પર રાહુલના સવાલોને ફગાવતા કહ્યું, તમારા કહેવાથી સંબંધો બનશે? રોટી-રોજગાર માટે કામ કરવા ઈચ્છતા દરેક વ્યક્તિ સાથે સરકાર ઉભી છે.

આખા દેશમાં 107 યુનિકોર્ન છે

આ દરમિયાન મીનાક્ષી લેખીએ બજેટ પર ઉઠાવવામાં આવેલા સવાલો પર પણ કટાક્ષ કર્યો અને કહ્યુ કે, દેશનું બજેટ વધ્યુ છે. તમે શું ઈચ્છો છો કે માત્ર ચીની અને અમેરિકનો જ આગળ વધે. 1000 થી વધુ સ્ટાર્ટઅપ્સ ખુલ્યા છે. પહેલા દેશમાં એક પણ યુનિકોર્ન નહોતું, હવે આખા દેશમાં 107 યુનિકોર્ન છે.

Published On - 7:25 pm, Tue, 7 February 23