Bhagalpur Bridge Collapse: ગંગા નદીમાં પત્તાની જેમ ધરાશાય નિર્માણાધીન પુલ, 8 વર્ષથી ચાલી રહ્યું હતું કામ, ગુણવત્તા મુદ્દે ઉઠ્યા સવાલ

બિહાર સરકારે પણ પુલ ધરાશાયી થવાની ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. સરકારે કહ્યું કે જવાબદારોની ઓળખ કર્યા બાદ તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પુલનો શિલાન્યાસ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કર્યો હતો. હાલમાં જ ભાગલપુરના ધારાસભ્યએ પણ આ પુલની ગુણવત્તા પર સવાલો ઉઠાવ્યા હતા.

Bhagalpur Bridge Collapse: ગંગા નદીમાં પત્તાની જેમ ધરાશાય નિર્માણાધીન પુલ, 8 વર્ષથી ચાલી રહ્યું હતું કામ, ગુણવત્તા મુદ્દે ઉઠ્યા સવાલ
Aguwani-Sultanganj bridge in Bihar’s Bhagalpur collapses
| Edited By: | Updated on: Jun 05, 2023 | 7:04 AM

ભાગલપુરઃ બિહારના ભાગલપુર જિલ્લામાં રવિવારે સાંજે એક મોટો અકસ્માત થયો હતો. ભાગલપુરમાં નિર્માણાધીન પુલ ગંગા નદીમાં પડ્યો. ખાગરિયાના આગવાની-સુલતાનગંજ વચ્ચે આ નિર્માણાધીન પુલ બનાવવામાં આવી રહ્યો હતો. પુલનો 200 મીટર જેટલો ભાગ નદીમાં પડી ગયો છે. નિર્માણાધીન પુલ ધરાશાયી થવાની ઘટના રવિવાર સાંજની છે. જ્યારે આ અકસ્માત થયો હતો. તે સમયે બ્રિજ પર કોઈ હાજર નહોતું. આના કારણે કોઈ જાનહાનિ થઈ નથી.

બિહાર સરકારે પણ પુલ ધરાશાયી થવાની ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. સરકારે કહ્યું કે જવાબદારોની ઓળખ કર્યા બાદ તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પુલનો શિલાન્યાસ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કર્યો હતો. હાલમાં જ ભાગલપુરના ધારાસભ્યએ પણ આ પુલની ગુણવત્તા પર સવાલો ઉઠાવ્યા હતા. ગત વર્ષે પણ આ પુલનો એક ભાગ નદીમાં પડી ગયો હતો.

 

23 ફેબ્રુઆરી 2014ના રોજ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો

એસપી સિંગલા કંપની આ બ્રિજ બનાવી રહી છે. સીએમ નીતિશ કુમારે 23 ફેબ્રુઆરી 2014માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. આ પુલનું નિર્માણ કાર્ય માર્ચ 2015થી ચાલી રહ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ નિર્માણાધીન બ્રિજની કિંમત લગભગ 1710.77 કરોડ રૂપિયા છે. આ પુલનું બાંધકામ આઠ વર્ષથી ચાલી રહ્યું હતું. આ પુલની કુલ લંબાઈ લગભગ ત્રણ કિલોમીટર છે.

વિપક્ષનો કમિશનનો આરોપ

આ ઘટના બાદ વિપક્ષે નીતિશ સરકાર પર નિશાન સાધવાનું શરૂ કરી દીધું છે. બિહારના વિપક્ષના નેતા વિજય કુમાર સિન્હાએ કહ્યું કે જ્યારે સરકારના ઈરાદામાં ખામી હોય તો કોઈ પણ નીતિ કેવી રીતે સફળ થઈ શકે. આ સાથે તેમણે નીતિશ સરકાર પર કમિશનનો આરોપ લગાવ્યો છે.

આ બ્રિજ ભ્રષ્ટાચારના ભોગ બન્યો – અશ્વિની ચૌબે

તે જ સમયે, બીજેપી નેતા શાહનવાઝ હુસૈને કહ્યું કે ભ્રષ્ટાચારના ભારને કારણે આ પુલ તૂટી પડ્યો છે. સિંગલા કંપની અને સરકાર વચ્ચે મિલીભગત ચાલી રહી હતી. આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ કહ્યું કે આ પુલ ભ્રષ્ટાચારનો શિકાર બન્યો છે. નીતિશ કુમારે આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરાવવી જોઈએ.

ગયા વર્ષે બેગુસરાઈમાં પુલ પડી ગયો હતો

જણાવી દઈએ કે બિહારમાં પુલ તૂટી જવાની આવી જ ઘટના ગયા વર્ષે બેગુસરાઈ જિલ્લામાં પણ બની હતી. જિલ્લામાં બુધી ગંડક નદી પર નિર્માણાધીન પુલનો એક ભાગ ડિસેમ્બર 2022માં તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં પણ કોઈ જાનહાની થઈ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેગુસરાયના આ 206 મીટર લાંબા પુલમાં તિરાડો પડી ગઈ હતી. પુલના પીલર નંબર 2 અને 3 વચ્ચેનો ભાગ નદીમાં પડી ગયો હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:03 am, Mon, 5 June 23