
ભાજપનો પાયો 1980 માં સંપૂર્ણપણે શ્યામા પ્રસાદ મુખર્જીના આદર્શો પર આધારિત હતો. આ જ કારણ છે કે શ્યામા પ્રસાદ મુખર્જીને ભાજપના સ્થાપક પિતા તરીકે આદરણીય માનવામાં આવે છે. એક સ્વપ્નદ્રષ્ટા જેમનું સ્વપ્ન આખરે સાકાર થયું છે. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ સૂત્ર આપ્યું હતું: “એક દેશમાં બે બંધારણ, બે વડા પ્રધાન અને બે ધ્વજ ન હોઈ શકે.” કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા પછી, બંગાળમાં વિજય ભાજપ માટે એક વૈચારિક સંકલ્પને પૂર્ણ કરવા અને શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપવા સમાન છે.
શ્યામાં પ્રસાદ મુખર્જીનો જન્મ 1901માં કોલકાતાના બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે તેની રાજકીય સફર ની શરૂઆત 1929 થી કર્યો. શરૂઆતમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસની ટિકિટ પર તેઓ બંગાળ વિધાન પરિષદમાં પહોંચ્યા હતા. 1939માં તેઓ હિંદુ મહાસભામાં સામેલ થયા અને 1940માં હિંદુ મહાસભાના અધ્યક્ષ બન્યા.
સ્વતંત્ર ભારતની પહેલી સરકારમાં તેઓ કેબિનેટ મંત્રી પણ રહ્યા. દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહર લાલનહેરુએ તેમની કાબેલિયતને જોતા તેમના મંત્રીમંડળમાં તેમનો સમાવેશ કર્યો હતો. નહેરુની કેબિનેટમાં તેઓ ઉદ્યોગ મંત્રી અને પૂરવઠા મંત્રી રહ્યા હતા. પરંતુ આ સાથ બહુ લાંબો ન ટક્યો અને નહેરુની નીતિઓની કારણે તેમણે એક જ વર્ષમાં કોંગ્રેસ છોડી દીધી અને નહેરુ સરકારમાંથી રાજીનામુ આપ્યુ હતુ. ખાસ કરીને નહેરુની પાકિસ્તાન તરફી સમાધાનકારી નીતિને તેમણે કેબિનેટમાંથી રાજીનામું આપ્યુ હતુ.
જે બાદ 1951માં ભારતીય જનસંઘ ( જે બાદમાં ભારતીય જનતા પાર્ટી BJP) ની સ્થાપના કરી. તેમણે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો પણ વિરોધ કર્યો હતો. તેમણે સ્પષ્ટ જણાવ્યુ હતુ કે એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાન ક્યારેય ન હોઈ શકે. તેમણે જમ્મુકાશ્મીરને વિશેષ બંધારણીય દરજ્જો આપતી કલમ 370 અને આર્ટીકલ 35-Aનો પણ વિરોધ કર્યો હતો. આ જ વિરોધ દરમિયાન 1953માં તેમની ધરપકડ બાદ રહસ્યમય સંજોગોમાં શ્યામાપ્રસાદ મુખરજીનુ મૃત્યુ થયુ.
1951માં શ્યામાપ્રસાદ મુખર્જીએ જનસંઘની સ્થાપના કરી જેની વિચારધારા પર જ BJP ની રચના થઈ હતી. ઈતિહાસ સાક્ષી છે કે જનસંઘનો (હાલની BJP)નો જન્મ પણ બંગાળની ધરતી પરથી જ થયો હતો. પરંતુ રાજકીય વિડંબના એ હતી કે દાયકાઓ સુધી આ દળને તેની જ જન્મભૂમિ પર ‘બાહિરતો’ (બહારના, પરાયા) આવેલા ગણવામાં આવ્યા. જનસંઘથી લઈને BJP સુધી 75 વર્ષ સુધી બંગાળની રાજકીય જમીન તેમના માટે બંજર સમાન રહી. લેફ્ટના 34 વર્ષનુ શાસન અને 15 વર્ષ સુધી TMC ની સત્તાએ ભાજપને એક સીમાંત શક્તિ તરીકે સીમિત રાખી.
વર્ષ 2026ની બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર બંગાળમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 એપ્રિલે પશ્ચિમ બંગાળના બૈરકપુરમાં વિજય સંકલ્પ રેલી દરમિયાન રાજકીય માહોલ જોઈને કહ્યુ હતુ, “શ્યામા પ્રસાદ મુખર્જીનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યુ છે.” તેમણે કહ્યુ હતુ કે જમ્મુકાશ્મીરમાં અનુચ્છેદ 370 ના મોટાભાગની જોગવાઈઓને રદ કરીને ભાજપે શ્યામા પ્રસાદ મુખર્જીના સંકલ્પો પૈકી એક સંકલ્પને પૂર્ણ કર્યો છે. બંગાળમાં નવી ભાજપ સરકાર શ્યામા પ્રસાદ મુખર્જીના રાજ્યની સમૃદ્ધિના સપનાને પુરા કરશે અને ગેરકાયદે થતી ઘૂસણખોરીનો કાયમી ઉકેલ લાવશે.
બંગાળમાં હવે ભાજપે બહુમતના આંકડો પણ પાર કરીને 206 સીટો જીતી છે, તો આ ડૉ મુખર્જીના એ વિઝનની જીત માનવામાં આવી રહી છે. જેમા તેમણે એક અખંડ અને સાંસ્કૃતિક રીતે સુદૃઢ ભારતની કલ્પના કરી હતી. પાર્ટી નેતૃત્વએ આ ચૂંટણી એવી રીતે લડી કે જાણે તે ‘અંતિમ યુદ્ધ’ હોય. વડાપ્રધાન મોદીની રેલીઓથી લઈને બૂથ સ્તર સુધી, પક્ષના કાર્યકરો જેમને બંગાળના લોકોને એ ખાતરી આપવામાં સફળતા મળી કે ભાજપ એ બહારની પાર્ટી નથી પરંતુ ‘બંગાળની માટી’માંથી જ જન્મેલી પાર્ટી છે.
પક્ષના નેતૃત્વએ આ ચૂંટણી એવી રીતે લડી કે જાણે તે ‘અંતિમ યુદ્ધ’ હોય. પીએમ મોદીની રેલીઓથી લઈને બૂથ સ્તર સુધી, પક્ષના કાર્યકરો – જેમણે રાજ્યભરમાં વ્યાપક પ્રવાસ કર્યા – બંગાળના લોકોને ખાતરી આપવામાં સફળ થયા કે ભાજપ ‘બહારનો’ નથી, પરંતુ બંગાળની ધરતીનો સાચો પક્ષ છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે એકવાર પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનશે, તો અમે ‘બંગ ગૌરવ’ (બંગાળનું ગૌરવ) અને ‘બંગ સંસ્કૃતિ’ (બંગાળી સંસ્કૃતિ) ને પુનર્જીવિત કરીશું. આ ‘બંગભૂમિ’ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ભાજપની સ્થાપના આ જ પ્રદેશના એક અગ્રણી નેતા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી દ્વારા કરવામાં આવી હતી.
અમિત શાહે કહ્યું, “અમે એ પણ વચન આપવા માંગીએ છીએ કે પીએમ મોદીના નેતૃત્વમાં, બંગાળમાં ભાજપની સરકાર બનતાની સાથે જ, અમે રાજ્યના વારસાને પુનર્જીવિત કરીશું. અમે એક મજબૂત રાષ્ટ્રીય ગ્રીડ સ્થાપિત કરીશું જે બંગાળમાં ઘૂસણખોરીનો અંત લાવશે. એક માણસ તો છોડો એક પારેવુ પણ સરહદ પાર કરી શકશે નહીં. અમે ના માત્ર ઘૂસણખોરી અટકાવીશું, પરંતુ ભારતના ખૂણેખૂણેથી ઘૂસણખોરોને વીણી-વીણીને બાહર કાઢવાનું કામ પણ ભાજપા સરકાર કરશે.
કોલાકાતા સ્થિત ભાજપના મુખ્યાલય હેસ્ટિંગ્સમાં આજે ગુલાલ ઉડી રહ્યો છે. કારણ કે આ માત્ર એક જીતની ઉજવણી નથી પરંતુ એ સંકલ્પ પુરો થવાની ઉજવણી છે જે 1951માં ડૉ શ્યામાં પ્રસાદ મુખર્જીએ લીધો હતો. પહેલીવાર બંગાળ વિધાનસભામાં મુખ્યમંત્રીની ખુરશી પર ‘કમળ’ નો સૈનિક બેસવા જઈ રહ્યો છે.
ભાજપ માટે બંગાળની જીત એ બહુ મોટી સિદ્ધિ છે કારણ કે તેમણે એ ધરતી પર સત્તા મેળવી છે જ્યાથી તેમના વૈચારિક આદર્શ સમાન પૂર્વજે ભારતને એક નવી દિશા આપવાનું સાહસ કર્યુ હતુ. શ્યામા પ્રસાદ મુખર્જીના બંગાળમાં તેમના જ વૈચારિક વંશજોએ દાયકાઓના સંધર્ષ, તપસ્યા બાદ પ્રચંડ જીત મેળવી છે.
Published On - 9:25 pm, Tue, 5 May 26