પશ્ચિમ બંગાળમાં કોરોનાના પગલે 15 જૂન સુધી વધ્યા પ્રતિબંધો, મમતા બેનર્જીએ કહ્યું આ લોકડાઉન નથી

|

May 27, 2021 | 5:47 PM

પશ્ચિમ બંગાળ(West Bengal)સરકારે કોરોના(Corona)ના પગલે 15 જૂન સુધી આંશિક લોકડાઉન વધાર્યું છે. આ અગાઉ સરકારે 15 થી 30 મે સુધી પ્રતિબંધો જાહેર કર્યા હતા. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ પ્રતિબંધો વધારવાની જાહેરાત કરી અને લોકોને સહયોગ આપવા અપીલ કરી.

પશ્ચિમ બંગાળમાં કોરોનાના પગલે 15 જૂન સુધી વધ્યા પ્રતિબંધો, મમતા બેનર્જીએ કહ્યું આ લોકડાઉન નથી
પશ્ચિમ બંગાળમાં કોરોનાના પગલે 15 જૂન સુધી વધ્યા પ્રતિબંધો

Follow us on

પશ્ચિમ બંગાળ(West Bengal)સરકારે કોરોના(Corona)ના પગલે 15 જૂન સુધી આંશિક લોકડાઉન વધાર્યું છે. આ અગાઉ સરકારે 15 થી 30 મે સુધી પ્રતિબંધો જાહેર કર્યા હતા. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ પ્રતિબંધો વધારવાની જાહેરાત કરી અને લોકોને સહયોગ આપવા અપીલ કરી.

છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona)ના 16,000 નવા કેસ

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

આ ઉપરાંત મમતા બેનર્જીએ પણ તેને લોકડાઉન નહીં કહેવાની અપીલ કરી હતી. મમતા બેનર્જીએ કહ્યું કે રાજ્યમાં કોરોના(Corona)ના કેસ ઓછા થઈ રહ્યા છે. અર્થતંત્રની સુધારણા માટે લોકડાઉનનો સંપૂર્ણ અમલ કરવામાં આવી રહ્યો નથી. ગુરુવારે સવારે પશ્ચિમ બંગાળમાં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona)ના 16,000 નવા કેસ નોંધાયા છે. આ સિવાય 153 લોકોનાં મોત નીપજ્યાં છે.

અત્યાર સુધીમાં 14,827 લોકોનાં મૃત્યુ

પશ્ચિમ બંગાળ (West Bengal)માં અત્યાર સુધીમાં 13,18,203 લોકોને કોરોનાથી ચેપ લાગ્યો છે. આરોગ્ય વિભાગના આંકડા અનુસાર રાજ્યમાં કોરોના(Corona) ને કારણે અત્યાર સુધીમાં 14,827 લોકોનાં મૃત્યુ થયા છે. પશ્ચિમ બંગાળ(West Bengal)માં હાલમાં 1,23,377 સક્રિય કેસ છે.

રાજ્યમાં 1 કરોડ 35 લાખથી વધુ લોકોને કોરોના રસી આપવામાં આવી

આ કેસ યુપી, દિલ્હી સહિતના ઘણા રાજ્યો કરતા વધુ છે. પશ્ચિમ બંગાળના કોરોનાથી અત્યાર સુધીમાં 11,79,999 લોકોને કોરોનાના ચેપ લાગ્યો છે. જયારે અત્યાર સુધી રાજ્યમાં 1 કરોડ 35 લાખથી વધુ લોકોને કોરોના રસી આપવામાં આવી છે. જો કે ઉત્તર પ્રદેશ સાથે પશ્ચિમ બંગાળની તુલના કરીએ તો રાજ્યમાં 62,271 વધુ સક્રિય કેસ છે.

ઉલ્લેખનીય છે કે આ પૂર્વે સીએમ મમતા બેનર્જીએ 5 મેના રોજ આંશિક લોકડાઉનની જાહેરાત કરી હતી. તેની બાદ આ આંશિક લોકડાઉન 15 મે થી 30 મે સુધી વધાર્યું હતું. જ્યારે હવે આ આંશિક લોકડાઉનને હવે 15 જૂન સુધી વધારી દીધું છે.

બજારો સવારે 7 થી 10 વાગ્યા સુધી ખુલશે અને સાંજે 5 થી 7 વાગ્યા સુધી ખુલ્લા

મમતા બેનર્જીએ પત્રકારોને જણાવ્યું હતું કે માસ્ક જરૂરી છે અને જાહેર સ્થળોએ તેનો કડક અમલ કરવામાં આવશે. રાજ્ય સરકારની કચેરીઓમાં ફક્ત 50 ટકાની હાજરી રહેશે. બજારો સવારે 7 થી 10 વાગ્યા સુધી ખુલશે અને સાંજે 5 થી 7 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. આ ક્ષણે, તેઓ સંપૂર્ણ લોકડાઉનમાં જતા નથી, બજાર પણ ચાલશે અને અર્થતંત્ર પણ ચાલશે. ગુડ્ઝ પાર્લર સ્વિમિંગ પૂલ બંધ રહેશે. સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો 50 ટકાની હાજરી સાથે ચાલશે, પરંતુ રાજકીય મેળાવડા પર પ્રતિબંધ છે. ખાનગી કંપનીઓમાં 50 ટકા કર્મચારી અને સ્થાનિક પરિવહન અને મેટ્રો પણ 50 ટકા મુસાફરો સાથે દોડશે

Published On - 5:37 pm, Thu, 27 May 21

Next Article