દેશને અટલ ટનલની ભેટ આપ્યા બાદ કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં વધુ એક ટનલ બનાવવા જઈ રહી છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ વીડિયો કોન્ફરન્સની મદદથી સુરંગના નિર્માણ માટે પ્રથમ બ્લાસ્ટ કર્યો છે. સેના અને સિવિલ એન્જિનિયર્સની એક ટીમ જોજિલા-દર્દેના પહાડોને કાપીને આ સુરંગ બનાવશે.
જોજિલાની ટનલ બનતા જ લેહ-લદ્દાખ, કારગીલ-દ્રાસ અને સિયાચીન વર્ષભર સુધી દેશના અન્ય વિસ્તારો સાથે જોડાયેલા રહેશે.. અત્યારે આ વિસ્તારોમાં 6 મહિના સુધી જ માર્ગ કનેક્ટિવિટી હોય છે. શિયાળાને કારણે માર્ગો પર બરફ જમા થઈ જાય છે. ટનલ બનતા જ આ સમસ્યાનો અંત આવી જશે..આ પ્રોજેક્ટ હેઠળ 14.5 કિલોમીટર લાંબી ટનલ બનાવાઈ રહી છે.. આ સિવાય 18.63 કિલોમીટર લાંબો એપ્રોચ રોડ પણ બનાવાઈ રહ્યો છે.. સમગ્ર પ્રોજેક્ટમાં 32.78 કિલોમીટર લાંબો માર્ગ બનશે.. આ યોજના માટે 6 હજાર 808.63 કરોડનો ખર્ચ થશે. ટનલ બનતા આશરે 6 વર્ષનો સમય પણ લાગશે જ્યારે અપ્રોચ રોડ બનતા અઢી વર્ષ નીકળી જશે.
જોજિલા ટનલનું નિર્માણ કામ એવા સમયે થઈ રહ્યું છે.. જ્યારે પૂર્વ લદ્દાખને અડીને આવેલી એલએસી પર ચીન છેલ્લા પાંચ મહિનાથી હલચલ કરી રહ્યું છે.. નીતિન ગડકરીએ કહ્યું છે કે, આ ટનલ બનતા જ શ્રીનગર, દ્રાસ, કારગીલ અને લેહ વિસ્તારમાં દરેક સિઝનમાં કનેક્ટિવિટી રહેશે. નીતિન ગડકરીએ ટ્વીટ કરીને સરકારના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટની જાણકારી આપી છે.
જોજિલા સુરંગ પરિયોજનાનું મહત્વ ખાસ એટલા માટે છે કે જોજિલા દર્રા શ્રીનગર- કારગિલ- લેહ રાષ્ટ્રીય રાજમાર્ગ પર 11,578 ફૂટની ઉંચાઈ પર છે. ભારે હિમપ્રપાતનાં કારણે ઠંડીની સિઝનમાં બંધ રહે છે. હાલનાં સમયમાં વાહનવ્યહવારની દ્રષ્ટીએ સૌથી ખતરનાક માર્ગ પૈકીની એક યોજના આ છે, અને જ્યારે સુરંગ બનીને તૈયાર થઈ જશે ત્યારે આધુનિક ભારત માટે આ ઉલ્લેખનિય ઉપલબ્ધી ગણી શકાશે.
શું છે ટનલની ખાસિયત?
જણાવવું રહ્યું કે આ યોજના મેઘા એન્જીનીયરીંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટડ (MEIL) પૂર્ણ કરશે, કંપનીએ આ કામ માટે સૌથી ઓછી બોલી 4509.5 કરોડ લગાડી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 3:02 pm, Thu, 15 October 20