પેટ્રોલ પંપ પર તમને મળે છે આ 6 સુવિધાઓ, જો લાભ લેતા રોકવામાં આવે તો અહીં કરી શકો છો ફરીયાદ

તમને પેટ્રોલ પંપ પર કેટલીક સુવિધાઓ ફ્રીમાં (Free facility at petrol pump) મળે છે. માર્કેટિંગ ડિસિપ્લિન ગાઇડલાઇંસ અંતર્ગત કેટલાક નિયમ-કાયદાઓ બનાવવામાં આવ્યા છે.

પેટ્રોલ પંપ પર તમને મળે છે આ 6 સુવિધાઓ, જો લાભ લેતા રોકવામાં આવે તો અહીં કરી શકો છો ફરીયાદ
ફાઇલ તસવીર
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Jun 10, 2021 | 3:14 PM

તમે જ્યારે પણ પેટ્રોલ પંપ (Petrol Pump) પર જાઓ છો, ત્યારે તમારા ખિસ્સા ખાલી થઇ જાય છે. કારણ કે પેટ્રોલ ડિઝલનો ભાવ જ આભને આંબતો હોય છે. તમે અઠવાડિયામાં એક વાર તો પેટ્રોલ પંપની મુલાકાત લેતા જ હશો. પરંતુ શુ તમે જાણો છો કે તમને પેટ્રોલ પંપ પર કેટલીક સુવિધાઓ ફ્રીમાં (Free facility at petrol pump) મળે છે. માર્કેટિંગ ડિસિપ્લિન ગાઇડલાઇંસ અંતર્ગત કેટલાક નિયમ-કાયદાઓ બનાવવામાં આવ્યા છે. તો જાણીએ કે કઇ કઇ સુવિધાઓનો લાભ પેટ્રોલ પંપ પર ફ્રીમાં મળે છે.

મફત હવા – તમે જોતા હશો કે પેટ્રોલ પંપ પર હવા ભરવાની મશીન મુકવામાં આવી હોય છે. આ મશીન એ જ મફત સેવાઓમાંની એક છે. પેટ્રોલ પંપના માલિકે આ મશીન મુકાવવાની હોય છે. જે પણ લોકો પેટ્રોલ-ડીઝલ ભરાવવા આવે છે તેમની ગાડીઓમાં ફ્રીમાં હવા ભરી આપવાની હોય છે. હવા ભરાવવા માટે ગ્રાહકોએ કોઇ રૂપિયા આપવાના રહેતા નથી. પંપના માલિકે આ કામ માટે એક વ્યક્તિને પણ રાખવાનો હોય છે.

પીવાનું ચોખ્ખુ પાણી – પેટ્રોલ પંપ પર પિવાના સાફ પાણીની વ્યવસ્થા કરવી જરૂરી છે. ગ્રાહકો અહીં પીવાના સાફ પાણીની માંગ કરી શકે છે અને આ સુવિધા પંપ તરફથી ગ્રાહકોને ફ્રીમાં આપવાની હોય છે. આ સુવિધા માટે પંપના માલિક આરઓ પ્યુરિફાયર લગાવડાવે છે. કેટલાક પેટ્રોલ પંપ પર ઠંડા પાણીની વ્યવસ્થા પણ રાખવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

શૌચાલયની સુવિધા – પેટ્રોલ પંપ પર શૌચાલયની સુવિધા અનિવાર્ય છે. આ સુવિધા ગ્રાહકોને મફતમાં આપવાની હોય છે એટલુ જ નહી તેમણે આ શૌચાલયને નિયમિત રીતે સ્વચ્છ પણ રાખવુ પડે છે. જો આ સુવિધાને લઇને કોઇ પણ પ્રકારની સમસ્યા આવે છે અથવા તો જો શૌચાલય સ્વચ્છ હાલાતમાં ન હોય તો તમે પેટ્રોલ પંપ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી શકો છે. ગ્રાહકની ફરીયાદ પર પંપ માલિકને જવાબ પણ આપવો પડી શકે છે.

ફોન – જો તમને ઇમરજન્સીમાં કોઇને ફોન કરવા હોય તો પેટ્રોલ પંપ પર આ સુવિધા તમને મફતમાં મળશે. પેટ્રોલ પંપ શરૂ કરવાની સાથે જ ત્યાં એક ટેલિફોન નંબર પણ શરૂ કરવો પડે છે જેથી પેટ્રોલ ભરાવવા આવેલા ગ્રાહકો તેનો ઉપયોગ કરી શકે.

પ્રાથમિક ઉપચાર કિટ – દરેક પેટ્રોલ પંપ પર પ્રાથમિક ઉપચાર કિટ એટલે કે ફર્સ્ટ એડ કિટ રાખવી જરૂરી છે. દરેક પેટ્રોલ પંપ પર આ સુવિધા ગ્રાહકોને મફતમાં આપવામાં આવે છે. જો અચાનક કોઇ ઘટના બને તો હોસ્પિટલ પહોંચવા પહેલા આ કિટનો તાત્કાલિક ઉપયોગ કરી શકાય છે.

ક્વોલિટી ચેક – તમને પેટ્રોલની ક્વોલિટી ચેક કરવાનો અધિકાર મળે છે. તમે ક્વોલિટીની સાથે સાથે ક્વોંટીટી પણ ચેક કરી શકો છો. આની સાથે પેટ્રોલ પંપ પર હંમેશા અગ્નિશામક ઉપકરણ હોવા જરૂરી છે જેથી આગ લાગવાની કોઇ ઘટના બને તો તેને તરત બુજાવી શકાય

જો તમને કોઇ પણ સુવિધાનો લાભ લેવાથી રોકવામાં આવે અથવા તો કોઇ અડચણ આવે તો તમે પેટ્રોલ પંપની બહાર આપેલા ગ્રાહક સુવિધા નંબર પર કોલ કરીને ફરીયાદ નોંધાવી શકો છો અથવા તો http://pgportal.gov.in/. પર જઇને તમારી ફરીયાદ રજીસ્ટર કરાવી શકો છો.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">