
કોંગ્રેસની સત્તા દરમિયાન આ રાજ્યોમા 88 વખત લગાવાયુ રાષ્ટ્રપતિ શાસન, એકલા ઈન્દિરા ગાંધીના શાસનમાં 51 વખત લાગુ કરાઈ આર્ટિકલ 356 મણિપુર જે ભારતના ઉત્તર પૂર્વમાં આવેલુ એક મહત્વપૂર્ણ રાજ્ય છે. છેલ્લા કેટલાક વર્ષોથી ત્યાં રાજકીય અસ્થિરતાનો માહોલ છે. હાલ મણિપુરમાં રાજકીય અસ્થિરતા અને જાતિય હિંસાના માહોલ વચ્ચે ત્યાંના મુખ્યમંત્રી એન. બિરેનસિંહે રાજીનામુ આપ્યુ છે. જે બાદ વિપક્ષી દળો સતત રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગ કરી રહ્યા હતા, જે બાદ ત્યાંની સ્થિતિને જોતા રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવાયુ છે. જો કે મણિપુરમાં અત્યાર સુધીમાં 10 વખત રાષ્ટ્રપતિ શાસન લાગી ચુક્યુ છે જેમા સૌથી વધુ વાર કોંગ્રેસે રાષ્ટ્રપતિ શાસન લગાવ્યુ છે. કોઈપણ રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન ત્યારે લાગુ કરવામાં આવે છે જ્યારે રાજ્યની ચૂંટેલી સરકાર પ્રજાને યોગ્ય શાસન આપવા માટે અસમર્થ બની જાય છે. મણિપુરમાં વારંવાર શાસનગત અનિશ્ચિતતા, ઉગ્રવાદ અને આંતરિક રાજકીય મતભેદો મુખ્ય કારણ તરીકે રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી મણિપુર જાતિય હિંસાનો સામનો કરી રહ્યુ છે. અહીં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે સતત સંઘર્ષ...
Published On - 8:34 pm, Sun, 23 February 25