અમિત શાહે દિલ્હી સેવા બિલ પર સંસદમાં કહ્યું- કોઈપણ વિષય પર કાયદો બનાવવાનો અધિકાર છે

|

Aug 03, 2023 | 3:17 PM

લોકસભામાં દિલ્હી સર્વિસ બિલ પર ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું કે તેઓ જેનો વિરોધ કરી રહ્યા હતા તે પંડિત નેહરુની ભલામણ હતી. તેમણે કહ્યું કે મોટા નેતાઓએ દિલ્હીને પૂર્ણ રાજ્ય બનાવવાનો વિરોધ કર્યો હતો.

અમિત શાહે દિલ્હી સેવા બિલ પર સંસદમાં કહ્યું- કોઈપણ વિષય પર કાયદો બનાવવાનો અધિકાર છે
લોકસભામાં દિલ્હી સેવા બિલ પર અમિત શાહ બોલ્યા

Follow us on

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે દિલ્હી સેવા બિલ પર સંસદમાં બોલતા કહ્યું કે તેઓ જેનો વિરોધ કરી રહ્યા હતા તે પંડિત નેહરુની ભલામણ હતી. તેમણે કહ્યું કે મોટા નેતાઓએ દિલ્હીને પૂર્ણ રાજ્ય બનાવવાનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે સંસદને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી સાથે સંબંધિત કોઈપણ મુદ્દા પર કાયદો બનાવવાનો અધિકાર છે.

શાહે વધુમાં કહ્યું કે, નવા ગઠબંધન બનાવવાના ઘણા રસ્તા છે. બિલ અથવા કાયદો બિલ અથવા કાયદો દેશના ભલા માટે બનાવવામાં આવે છે. ગમે તેટલો ભ્રષ્ટાચાર હોય, ગમે તેટલો કરોડનો બંગલો બને, તેને છુપાવવાની જવાબદારી મહાગઠબંધનની ન હોવી જોઈએ. શાહે કહ્યું કે ગઠબંધન માટે દેશના લોકોને બલિદાન ન આપવું જોઈએ. ગઠબંધન ખાતર બિલનો વિરોધ ન કરો.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

નેહરુજીએ કહ્યું હતું કે દિલ્હીમાં 3/4 મિલકત કેન્દ્રની છે – શાહ

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે દિલ્હી ન તો સંપૂર્ણ રાજ્ય છે કે ન તો કેન્દ્રશાસિત પ્રદેશ. વિપક્ષ પર નિશાન સાધતા શાહે કહ્યું કે, વિપક્ષોએ ગઠબંધન નહીં પણ દિલ્હીનું પણ વિચારવું જોઈએ.તેમણે કહ્યું કે નેહરુજીએ કહ્યું હતું કે દિલ્હીમાં 3/4 મિલકત કેન્દ્રની છે. નેહરુજીએ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો વિરોધ કર્યો હતો.

અમિત શાહે વિપક્ષને આ બિલને સમર્થન આપવાની અપીલ કરતા કહ્યું કે, દિલ્હીનું વિચારો, ગઠબંધનનું નહી. ગઠબંધન કરવા છતા, નરેન્દ્ર મોદી ફરી પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવશે. આ પહેલા તેમણે બિલની ભૂમિકા રજૂ કરતા કહ્યું કે, અગાઉ કેન્દ્ર અને દિલ્હીમાં અલગ અલગ પક્ષની સરકાર સત્તામા હતી ત્યારે કોઈ સમસ્યા નહોતી. કોઈ ઝઘડો નહતો. પરંતુ 2015માં સ્થિતિ પલટાઈ. દિલ્હીમાં એક એવા પક્ષની સરકાર બની જેનો હેતુ સેવાનો નહી પરંતુ માત્ર ઝઘડાનો જ હતો.

શાહે AAP પર કટાક્ષ કર્યો

લોકસભામાં દિલ્હી સેવા બિલ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે વર્ષ 2015માં દિલ્હીમાં એક પાર્ટી સત્તામાં આવી, જેનો ઉદ્દેશ્ય માત્ર લડાઈ કરવાનો હતો, સેવા કરવાનો નથી. સમસ્યા ટ્રાન્સફર પોસ્ટિંગ કરવાનો અધિકાર મેળવવાનો નથી, પરંતુ તમારા બંગલા બનાવવા જેવા ભ્રષ્ટાચારને છુપાવવા માટે વિજિલન્સ વિભાગને પકડવાની છે.

આ પણ વાંચો : જ્ઞાનવાપી બાદ હવે આ મસ્જિદોનો પણ સર્વે કરાવવાની ઉઠી માંગ, મંદિર તોડીને મસ્જિદ બનાવાઈ હોવાનો દાવો

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:43 pm, Thu, 3 August 23

Next Article