પુલવામા હુમલા બાદ ભારત તરફથી જવાબી એર સ્ટ્રાઈક કરવામાં આવી છે. જેમાં જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરના સાળા મૌલાના યુસૂફ અઝહરને પણ ઠાર કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. યૂસુફ અઝહર આતંકવાદી દુનિયામાં ઉસ્તાદ ગોહરીના નામે પ્રખ્યાત છે. યુસૂફનું નામ ઈન્ટરપોલની યાદીમાં પણ છે અને ભારતના વોન્ટેડ આતંકીઓની યાદીમાં પણ તેનું નામ રહેલું છે.
યૂસુફ અઝહરનું નામ 1999ના કંધાર હાઇજેકમાં પણ મુખ્ય તેનું કાવતારું ઘડવામાં પણ તેનું નામ છે. જૈશના દ્વારા ચલાવવામાં આવતાં બાલાકોટના આતંકવાદી ટ્રેનિંગ કેમ્પનો પણ યૂસુફ પ્રમુખ છે. આ ઉપરાંત યૂસુફ પર અન્ય ઘણાં આરોપ લાગ્યા છે. જેના પર કીડનેપિંગ, વિમાન હાઈજેક હત્યા તથા આતંકી પ્રવૃતિઓના આરોપ લાગ્યા છે.
યૂસુફ કંધાર વિમાન અપહરણમાં શામેલ હતો. જેમાં ભારતીય યાત્રીનો બદલે આતંકવાદી મસૂદ અઝહરને ભારતે છોડ્યો હતો. જેના પર કાર્યવાહી કરવું ભારતીય સેનાએ લાંબા સમય બાદ મોટી સફળતા મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સમગ્ર વિશ્વમાંથી આ હુમલા પર પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો : એર સ્ટ્રાઈક માટે કેમ બાલાકોટ જ પસંદ કરવામાં આવ્યું ,શું છે ઇમરાન ખાનનું ત્યાંથી કનેક્શન ?
વિદેશ સચિવ વિજય ગોખલેએ વાયુસેનાની સર્જિકલ સ્ટ્રાઇક અંગે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે વાયુસેનાના 12 મિરાજ 2000 લડાકૂ વિમાનોએ પીઓકેના બાલાકોટમાં આવેલા આતંકીઓનો જે સૌથી મોટા આતંકી કૅમ્પને તબાહ કર્યો, તે જૈશના ચીફ મૌલાના મસૂદ અઝહરનો સાળો મૌલાના યુસુફ અઝહર ઉર્ફે ઉસ્તાદ ઘૌરી ચલાવી રહ્યો હતો. આ સર્જિકલ સ્ટ્રાઇકમાં મસૂદનો સાળો માર્યો ગયો છે કે કેમ, તેની પુષ્ટિ નથી થઈ. સરકારે એ પણ નથી જણાવ્યું કે આ સર્જિકલ સ્ટ્રાઇકમાં કેટલા આતંકીઓ માર્યા ગયા છે.
[yop_poll id=1829]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 11:13 am, Tue, 26 February 19