દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ લોકોને મળી રહે તે માટે શાકભાજી માર્કેટને બાકાત રાખવામાં આવ્યા છે. આવા સમયે અમદાવાદના કાલુુપુર માટે પણ એક નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના કાલુુપુર શાકભાજી માર્કેટ માત્ર 4 કલાક ચાલુ રહેશે. સવારે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી જ શાક માર્કેટ ખુલ્લું રહેશે. કાલુુપુરના શાકમાર્કેટમાં લોકોની ભીડ એકઠી થતી હતી અને તેના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કાલુપુરના છૂટકવેપારીઓ જે શાકભાજી વેચે છે તેને રિવરફ્રન્ટના ખુલ્લા મેદાનમાં જગ્યા આપવામાં આવશે. જેથી લોકો સરળતાથી ખરીદી કરી શકે અને એકબીજાના સંપર્કમાં ઓછા આવે. સોશિયલ ડિસ્ટેંસિગ પર સરકાર ભાર મુકી રહી છે અને કોરોનાને ફેલાતો અટકાવવા માટે તે ખાસ જરૂરી છે.
આ પણ વાંચો : પગપાળા વતન જતાં શ્રમિકો માટે લોકો કરી રહ્યાં છે હોટેલમાં જમવાની વ્યવસ્થા, જુઓ VIDEO
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો