કોંગ્રેસનાં દિગ્ગજ નેતા સ્વ.અહેમદ પટેલનો દીકરો ફૈસલ કોંગ્રેસ છોડી શકે છે, ટ્વીટ કરીને કહ્યું રાહ જોઈને થાક્યો, બધા વિકલ્પો ખુલ્લા

|

Apr 05, 2022 | 3:16 PM

કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ કોંગ્રેસ પાર્ટીથી નારાજ છે. આગામી સમયમાં તેઓ કોંગ્રેસને અલવિદા કહી દે તેવી અટકળો રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. ફૈઝલ ​​પટેલે પોતાના એક ટ્વિટમાં આ વાતનો સંકેત આપ્યો છે.

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા સ્વ.અહેમદ પટેલનો દીકરો ફૈસલ કોંગ્રેસ છોડી શકે છે, ટ્વીટ કરીને કહ્યું રાહ જોઈને થાક્યો, બધા વિકલ્પો ખુલ્લા
Ahmed Patel's son Faisal may leave Congress

Follow us on

કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલ(Faisal Patel) કોંગ્રેસ પાર્ટીથી નારાજ છે. આગામી સમયમાં તેઓ કોંગ્રેસ(Congress)ને અલવિદા કહી દે તેવી અટકળો રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. ફૈસલ ​​પટેલે પોતાના એક ટ્વિટમાં આનો સંકેત આપ્યો છે.. ફૈસલ પટેલે લખ્યું, ‘હું રાહ જોઈને થાકી ગયો છું. ટોચના નેતૃત્વ તરફથી કોઈ પ્રોત્સાહન મળ્યું નથી. તમારી બાજુથી બધા વિકલ્પો ખુલ્લા રાખવામાં આવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ફૈસલ પટેલના પિતા અહેમદ પટેલ(Ahmed Patel)નું નવેમ્બર 2020માં લાંબી માંદગી બાદ અવસાન થયું હતું. પિતાના મૃત્યુના લગભગ બે વર્ષ બાદ પુત્ર ફૈસલે કોંગ્રેસ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

અહેમદ પટેલના નિધન બાદ ફૈસલ પટેલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ મળ્યા હતા. ત્યારબાદ ફૈસલ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાવાની અટકળો ચાલી રહી હતી. હવે ફૈસલ પટેલે સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ કોંગ્રેસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. તેમના ટ્વીટમાં લખેલી વાતો પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ લાંબા સમયથી કોંગ્રેસ પાર્ટીથી નારાજ હતા. મંગળવારે કરવામાં આવેલી ટ્વીટમાં ફૈઝલ પટેલે જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આ પછી હવે તેઓ કોંગ્રેસ છોડી દેશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે. તેઓ કોંગ્રેસમાં રહેશે કે અલવિદા કહેશે, તે પ્રશ્ન રહે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

ફૈઝલના ટ્વિટ બાદ રાજકીય હલચલ મચી ગઈ છે ફૈસલ ​​પટેલના કોંગ્રેસ હાઈકમાન્ડ પર સવાલો ઉઠાવતા આ ટ્વિટથી રાજકીય હલચલ વધી ગઈ છે. ગયા મહિને જ, તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે તેઓ રાજકારણમાં તેમના ઔપચારિક પ્રવેશ વિશે હજુ સુધી ‘વિશ્વાસ’ નથી. જો કે, તેમણે કહ્યું હતું કે તેઓ તેમના ગૃહ જિલ્લા ભરૂચ અને નર્મદામાં પાર્ટી માટે કામ કરશે. ફૈઝલ હાલમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની 7 વિધાનસભા બેઠકોના પ્રવાસ પર છે. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે મારી ટીમ રાજકીય પરિસ્થિતિની વર્તમાન વાસ્તવિકતાનું મૂલ્યાંકન કરશે અને અમારા મુખ્ય લક્ષ્યને પૂરા કરવા માટે જરૂર પડશે તો મોટા ફેરફારો કરશે. ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

આ અંગે ભાજપનાં નેતા અને પ્રવક્તા ઋત્વિજ પટેલે પ્રતિક્રિયા આપી હતી કે કોંગ્રેસમાં નારાજગી એ કઈ નવી વાત નથી. અગાઉ ઘણા બાદ લોકો કોંગ્રેસથી નારાજ થઈ ચુક્યા છે અને અહેમદ પટેલનાં પૂત્ર ફૈસલ નારાજ છે એટલે એમને માટે કોઈ નવી વાત નથી.

 

આ પણ વાંચો-Gujarat Assembly Election 2022: અન્ય પક્ષોના કાર્યકરો ભાજપથી ખુશ, AAP અને કોંગ્રેસના 250 લોકો પાર્ટીમાં જોડાયા

Published On - 3:14 pm, Tue, 5 April 22

Next Article