શુક્રવારે સાંજે, જમ્મુ અને કાશ્મીરમાં સ્થિત પવિત્ર અમરનાથ (Amarnath Yatra) ગુફાની નજીક વાદળ ફાટવાથી સર્જાયેલા અચાનક પૂરને કારણે ઘણા લોકો ધોવાઈ ગયા હતા અને આ અકસ્માતમાં લગભગ 15 લોકો મૃત્યુ પામ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે લગભગ 40 લોકો લાપતા છે જ્યારે પાંચ તીર્થયાત્રીઓને બચાવી લેવામાં આવ્યા છે. આજે પણ ઘણા રાજ્યોમાં હળવાથી ભારે વરસાદ( Heavy Rain)ને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અમરનાથ ગુફાથી લગભગ બે કિલોમીટર દૂર આ ઘટના બની હતી. ન્યૂઝ એજન્સી ANI તરફથી મળેલી જાણકારી મુજબ સાંજે લગભગ 5.30 વાગ્યે અમરનાથની ગુફાની નીચે વાદળ ફાટ્યું. સ્થળ પર NDRF, SDRF અને તમામ સંબંધિત એજન્સીઓએ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. આ ઘટના બાદ અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે.
શુક્રવારે સાંજે, દક્ષિણ કાશ્મીરમાં પવિત્ર અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાથી સર્જાયેલા અચાનક પૂરને કારણે ઘણા લોકો ધોવાઈ ગયા હતા, જેમાં 15 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં લગભગ 40 લોકો ગુમ છે અને પાંચને બચાવી લેવામાં આવ્યા છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. પોલીસ અને NDRF અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં અનેક તંબુઓ અને સામુહિક રસોડા નષ્ટ થઈ ગયા.
અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાને કારણે મોટી દુર્ઘટના થઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. વાદળ ફાટ્યા બાદ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. બાબા બર્ફાનીની ગુફા પાસે આવેલા પૂરમાં અનેક લોકો વહી ગયા, સેનાએ સંભાળ્યું રેસ્ક્યુ ઓપરેશન, જુઓ તસવીરોમાં ચોંકાવનારા દ્રશ્ય
#WATCH | J&K: Visuals from lower reaches of Amarnath cave where a cloud burst was reported at around 5.30 pm. Rescue operation underway by NDRF, SDRF & other associated agencies. Further details awaited: Joint Police Control Room, Pahalgam
(Source: ITBP) pic.twitter.com/AEBgkWgsNp
— ANI (@ANI) July 8, 2022
અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાના કારણે અત્યાર સુધીમાં લગભગ 15 લોકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે અમરનાથ ગુફાથી 2 કિમી દૂર વાદળ ફાટ્યું હતું. ગુફાની આસપાસ 10 થી 12 હજાર જેટલા ભક્તો હાજર હતા. વાદળ ફાટ્યા બાદ એનડીઆરએફ અને એસડીઆરએફનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.મળતી માહિતી મુજબ, આ અકસ્માત ગુફા પાસે સાંજે 5.30 વાગ્યાની આસપાસ થયો હતો. વાદળ ફાટવાના કારણે 25-30 ટેન્ટ પણ ધોવાઈ ગયા હતા. આ અકસ્માતમાં કેટલાક લોકો ગુમ થયાના સમાચાર પણ છે. આ દુર્ઘટના બાદ યાત્રા હાલ પૂરતી અટકાવી દેવામાં આવી છે.
Published On - 7:40 am, Sat, 9 July 22