|

Dec 14, 2020 | 11:25 PM

અયોધ્યામાં જ્યાં એક તરફ રામ મંદિરના નિર્માણ પર ઘમાસાણ ચાલી રહ્યું છે. આ તરફ ધર્મ સંસદ આયોજીત કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ ઉ.પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે ભગવાન રામની પ્રસ્તાપિત મૂર્તિનો ફોટો જાહેર કર્યો છે. 151 મીટર ઊંચી ભગવાન રામની મૂર્તિ અયોધ્યામાં જ બનાવવામાં આવશે. આ પણ વાંચો : પ્રણવ મુખર્જીનો પ્રહાર- ખરાબ સમયમાંથી પસાર […]

Ram Statu3_Tv9

Follow us on

અયોધ્યામાં જ્યાં એક તરફ રામ મંદિરના નિર્માણ પર ઘમાસાણ ચાલી રહ્યું છે. આ તરફ ધર્મ સંસદ આયોજીત કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ ઉ.પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે ભગવાન રામની પ્રસ્તાપિત મૂર્તિનો ફોટો જાહેર કર્યો છે. 151 મીટર ઊંચી ભગવાન રામની મૂર્તિ અયોધ્યામાં જ બનાવવામાં આવશે.

આ પણ વાંચો : પ્રણવ મુખર્જીનો પ્રહાર- ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે દેશ, વધી ગઈ અસહિષ્ણુતા!

આ અંગે શનિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના સરકારી નિવાસ્થાન પર કેબિનેટ મંત્રીઓની મળેલી બેઠક પછી જાહેરાત કરી છે. આ બેઠકમાં રામચંદ્રની ભવ્ય મૂર્તિના નિર્માણ પર ચર્ચા કરવામાં આવી તેમજ તેનું મોડલ પણ રજુ કરવામાં આવ્યું છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

ઉ.પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંત્રીમંડળ સાથે કરી બેઠક

ખાસ વાત એ છેકે આ મૂર્તિની ઊંચાઇ 151 મીટર હશે, જ્યારે તેની ઉપર 20 મીટર ઊંચુ છત્ર અને 50 મીટરનો બેઝ (આધાર) તૈયાર કરવામાં આવશે. તે પ્રમાણે મૂર્તિની કુલ ઊંચાઇ 221 મીટર જેટલી હતી. આ મૂર્તિના બેઝમાં અંદર જ ભવ્ય મ્યૂઝિયમ બનાવવામાં આવશે. જેમાં અયોધ્યાનો ઇતિહાસ, રામ જન્મભૂમિનો ઇતિહાસ અને ભગવાન વિષ્ણુના અવતારો અંગે પણ માહિતી આપવામાં આવી હશે.

આવી બનશે ભગવાન રામની ભવ્ય મૂર્તિ અને પાર્ક

દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ ભગવાન શ્રીરામની હશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ મૂર્તિ સાથે પાર્કમાં સંપૂર્ણ મોડલ બનાવવામાં આવશે. રામ મૂર્તિની સાથે વિશ્રામ ગૃહ, રામ લીલા મેદાન, રામ કૂટીર પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત સરયૂ રિવર ફ્રન્ટ ડેવલોપમેન્ટ, રિવર ફ્રન્ટ લુક આઉટ અને સરયૂ નદી ઘાટના અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.

સરયૂ નદીના કિનારે 221 મીટર ઊંચી ભગવાન રામની મર્તિ બનશે

અત્રે નોંધનીય છે કે, હાલમાં અયોધ્યમાં હિન્દુવાદી સંગઠનોને બેઠકો અને મુલાકાત ચાલી રહી છે. એક તરફ ‘પહેલાં મંદિર પછી સરકાર’ના નારાં સાથે સંગઠનો એકત્ર થયા છે ત્યારે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પણ અયોધ્યમાં પહોંચ્યા છે. જે જોતાં યોગી આદિત્યનાથ સરકારની આ ભગવાન રામની મૂર્તિની જાહેરાત મહત્વની રહેશે.

[yop_poll id=34]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:41 am, Sun, 25 November 18

Next Article