Coronavirus Update: દેશ કોરોની લડાઈ જીતી રહ્યો છે ! 191 દિવસમાં સૌથી ઓછા સક્રિય કેસ, આંકડો ઘટીને 2.99 લાખ થયો

|

Sep 27, 2021 | 3:09 PM

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારે બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, કોરોનાના કારણે 276 વધુ લોકોના મોત થયા છે. દેશમાં 2,99,620 લોકો કોરોના વાયરસ માટે સારવાર હેઠળ છે, જે કુલ કેસોના 0.89 ટકા છે.

Coronavirus Update: દેશ કોરોની લડાઈ જીતી રહ્યો છે ! 191 દિવસમાં સૌથી ઓછા સક્રિય કેસ, આંકડો ઘટીને 2.99 લાખ થયો
Corona Active Cases (File Photo)

Follow us on

દેશમાં કોરોનાના કેસો (Corona Cases) સતત ઘટી રહ્યા છે. આ સાથે, હવે ભારતમાં સક્રિય દર્દીઓની સંખ્યા પણ 2,99,620 થઈ ગઈ છે, જે 191 દિવસમાં સૌથી ઓછી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 26,041 નવા કેસ નોંધાયા છે. આ પછી, દેશમાં સંક્રમિતોની સંખ્યા 3,36,78,786 થઈ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Union Health Ministry) દ્વારા સોમવારે સવારે 8 વાગ્યે બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, કોરોનાના કારણે 276 વધુ લોકોના મોત થયા બાદ મૃત્યુઆંક વધીને 4,47,194 થયો છે. હાલમાં, દેશમાં 2,99,620 લોકો કોરોના વાયરસ માટે સારવાર હેઠળ છે, જે કુલ કેસોના 0.89 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યામાં કુલ 3,856 નો ઘટાડો નોંધાયો હતો. દર્દીઓની રિકવરીનો રાષ્ટ્રીય દર 97.78 ટકા છે.

દેશમાં સંક્રમિતોની સંખ્યા ગયા વર્ષે 7 ઓગસ્ટના રોજ 20 લાખ હતી. 23 ઓગસ્ટના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ હતી. કોરોનાનાં કુલ કેસો 16 સપ્ટેમ્બરે 50 લાખ, 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ અને 20 નવેમ્બરે 90 લાખને વટાવી ગયા હતા. દેશમાં 19 ડિસેમ્બરે, આ કેસ એક કરોડને પાર કરી ગયા હતા. આ વર્ષે 4 મેના રોજ તે બે કરોડને પાર કરી ગયો હતો અને 23 જૂને તે ત્રણ કરોડને પાર કરી ગયો હતો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

મૃત્યુની સંખ્યામાં ફેરફાર થઈ રહ્યો છે

કોરોના દર્દીઓના મૃત્યુની સંખ્યા દરરોજ બદલાઈ રહી છે. ગયા અઠવાડિયે 300 દૈનિક મૃત્યુ નોંધાયા હતા અને તે પહેલાં 400 દૈનિક મૃત્યુ નોંધાયા હતા. પરંતુ આ અઠવાડિયે મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન, ભારતમાં 276 દર્દીઓના મૃત્યું નોંધાયા છે. તેમાંથી 165 મોત માત્ર કેરળમાં થયા છે.

કેરળમાં 15 હજારથી વધુ નવા કેસ

કેરળની વાત કરીએ તો અહીં 15,951 નવા કેસ નોંધાયા અને 165 લોકોના મોત થયા. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કહ્યું કે ભારતમાં ગુરુવારે કોરોના વાયરસ માટે 11,65,006 નમૂના પરીક્ષણો કરાયા હતા, ત્યારબાદ દેશમાં નમૂના પરીક્ષણનો આંકડો વધીને 56,44,08,251 થયો છે.

સુપ્રીમ કોર્ટે તેના 30 જૂનના નિર્ણયમાં કહ્યું હતું કે કોવિડ -19 રોગચાળાને કારણે થયેલા મૃત્યુ માટે સરકારે વળતર ચૂકવવું પડશે, જોકે તેણે વળતરની રકમ નક્કી કર્યા વિના સરકાર પર જવાબદારી છોડી દીધી હતી. સુપ્રીમ કોર્ટના ઠપકા પછી, કેન્દ્ર સરકારે જવાબ દાખલ કરતી વખતે કહ્યું છે કે દેશમાં કોરોનાને કારણે દરેક મૃત્યુના કિસ્સામાં, તેના પરિવારજનને 50 હજારનું વળતર મળશે.

એવું પણ કહેવામાં આવ્યું છે કે આ રકમ રાજ્ય એટલે કે રાજ્ય આપત્તિ રાહત ફંડ દ્વારા આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા વળતર સંબંધિત માર્ગદર્શિકા બનાવી છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 3.98 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે.

 

આ પણ વાંચો : Cyclone Gulab: ચક્રવાત ‘ગુલાબ’ની અસર ! હવામાન વિભાગે મધ્ય અને પશ્ચિમ ભારત માટે ભારેથી અતિ ભારે વરસાદની આપી ચેતવણી

આ પણ વાંચો : ‘ખેડૂતોનો અહિંસક સત્યાગ્રહ અખંડ, શોષણ કરનારી સરકારને આ પસંદ નથી’, રાહુલ ગાંધીએ ખેડૂતોના ‘ભારત બંધ’ ને ટેકો આપ્યો

Published On - 3:07 pm, Mon, 27 September 21

Next Article