Amarnath Yatra: 67000 શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના કર્યા દર્શન, 1 જુલાઈથી ચાલી રહી છે અમરનાથ યાત્રા

અમરનાથ યાત્રા શરૂ થયા બાદ અત્યાર સુધીમાં કુલ 67566 યાત્રાળુઓએ યાત્રા કરી છે અને આગામી દિવસોમાં વધુ યાત્રિકો મંદિરે પહોંચ્યા બાદ ભોલેનાથના દર્શન કરશે.

Amarnath Yatra: 67000 શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના કર્યા દર્શન, 1 જુલાઈથી ચાલી રહી છે અમરનાથ યાત્રા
| Edited By: | Updated on: Jul 06, 2023 | 12:28 PM

Jammu Kashmir: બુધવારે અમરનાથ યાત્રાને લઈને એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 1 જુલાઈથી યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં કુલ 67,566 શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. બુધવારે, બાલતાલ અને નુનવાન બેઝ કેમ્પ બંનેમાંથી 18,354 શ્રદ્ધાળુઓ અમરનાથ ગુફા માટે રવાના થયા હતા. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમાં 12483 પુરૂષો, 5146 મહિલાઓ, 457 બાળકો, 266 સાધુ અને 2 સાધ્વીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Amarnath Yatra 2023: ભારે સુરક્ષા વચ્ચે અમરનાથ યાત્રાનો આરંભ, પ્રથમ બેચ થઈ રવાના, LG મનોજ સિન્હાએ લીલી ઝંડી બતાવી કરાવી શરુઆત

મીડિયા રિપોર્ટ્સથી પ્રાપ્ત માહિતી અનુસાર, યાત્રાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 67566 યાત્રાળુઓએ મુલાકાત લીધી છે અને આગામી દિવસોમાં વધુ યાત્રિકો મંદિરે પહોંચ્યા બાદ ભોલેનાથના દર્શન કરશે.

મુસાફરો માટે તમામ વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવી છે

સત્તાવાર પ્રવક્તાના જણાવ્યા અનુસાર, યાત્રાળુઓને તેમની સમગ્ર યાત્રા દરમિયાન તમામ જરૂરી વસ્તુઓ અને સુવિધાઓ પૂરી પાડીને રાજ્ય એજન્સીઓ અને નાગરિક વિભાગો દ્વારા મદદ કરવામાં આવી રહી છે. પોલીસ, SDRF, આર્મી, અર્ધલશ્કરી, આરોગ્ય, PDD, PHE, ULB, માહિતી, શ્રમ, અગ્નિ અને કટોકટી, શિક્ષણ અને પશુપાલન સહિતના તમામ વિભાગોએ તેમના કર્મચારીઓને તૈનાત કરીને તમામ જરૂરિયાતો અને વ્યવસ્થાઓ પૂર્ણ કરી છે.

આ યાત્રા 31 ઓગસ્ટે પૂરી થશે

યાત્રીઓને સંપૂર્ણ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે જેમાં લંગર, આરોગ્ય સુવિધાઓ, પોનીવાલા, પિત્તુવાલા, દાંડીવાલા અને અન્ય ઘણી સહાય શિબિર નિર્દેશકોની દેખરેખ હેઠળ છે. 62 દિવસ સુધી ચાલનારી અમરનાથ યાત્રા 31 ઓગસ્ટ 2023ના રોજ સમાપ્ત થશે.

અમરનાથ યાત્રાના રૂટમાં ફેરફાર

મળતી માહિતી મુજબ આ વખતે અમરનાથ યાત્રાના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે પવિત્ર ગુફામાં CRPFની જગ્યાએ ITBP જવાન તૈનાત કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુફા સિવાય અન્ય સ્થળોએ પણ સુરક્ષા દળોની તૈનાતીમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પવિત્ર ગુફા, ચંદનવાડી, શેષનાગ, પોષપત્રી અને પંચતરણી સુધી પહોંચવાના મહત્વના સ્થળોની આસપાસ સીઆરપીએફને પણ હટાવી દેવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે અહીંથી હટાવવામાં આવેલી કંપનીઓને ક્યાંય મોકલવામાં પણ આવી નથી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો